કોવિડ વર્કિગ ગ્રુપ અને નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશના અધ્યક્ષ એનકે અરોરાએ એક મોટું નિવેદન આપ્યું છે.
કોવિડ વર્કિગ ગ્રુપના ચેરમેન એનકે અરોરાનું નિવેદન
ભારતમાં હાઈ રિસ્ક પર છે 12-14 વર્ષની વયના બાળકો
હાઈ રિસ્ક પર હોવાથી બાળકોનું વેક્સિનેશન શરુ કરાયું
આવતીકાલથી શરુ થઈ રહેલા 12-14 વર્ષની વયના બાળકોના વેક્સિનેશન પહેલા કેન્દ્રના એક ટોચના અધિકારીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે આ વયના બાળકો હાલમાં દેશમાં હાઈ રિસ્ક પર છે કારણ કે ચીન અને હોંગકોંગમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ભારતમાં પણ ઓમિક્રોનના પેટા વેરિયન્ટની દસ્તક થઈ ચૂકી છે આવી સ્થિતિમાં વેળાસર વેક્સિન આપી છે.
We've expanded vaccination for 12-14 years old children, because of them being at high risk. Cases are rising in China, Singapore. Any complacency can be dangerous though most of the adult population has been vaccinated: NK Arora, Chairman, Covid working group NTAGI pic.twitter.com/tACl9S2umy
હાઈ રિસ્ક પર હોવાથી 12-14 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરુ કર્યું-અરોરા
કોવિડ વર્કિગ ગ્રુપના ચેરમેન એનકે અરોરાએ કહ્યું કે ભારતમાં 12-14 વર્ષની વયના બાળકો હાઈ રિસ્કમાં છે અને તેથી બાળકોનું વેક્સિનેશન શરુ કરાયું છે. અરોરાએ કહ્યું કે 12-14 વર્ષના બાળકોના વેક્સિનેશનની શરુઆત કરવામાં આવી છે કારણ કે તેઓ હાઈ રિસ્ક પર છે.
વયસ્ક નાગરિકોનું વેક્સિનેશન પુરુ પણ જરા લાપરવાહી ભયાનક બની શકે
તેમણે કહ્યું કે ચીન અને સિંગાપુરમાં કોરોના કેસ વધી રહ્યાં છે. જોકે વયસ્ક નાગરિકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું છે પરંતુ જરા સરખી લાપરવાહી પણ ખતરનાક બની શકે છે.
આવતીકાલથી 12-14 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરુ થઈ રહ્યું છે
કેન્દ્રના ટોચના અધિકારી અરોરાની આ જાહેરાત એવે સમયે આવી છે કે જ્યારે આવતીકાલે 12-14 વર્ષના બાળકોનું વેક્સિનેશન શરુ થઈ રહ્યું છે. તેમની આ જાહેરાત ઘણી મહત્વની છે. તેમના મત અનુસાર આ વય જૂથના બાળકો પર મોટો ખતરો છે પરંતુ રાહતની વાત એ છે કે હવે તેમના માટે વેક્સિન પણ આવી ગઈ છે. એટલે તેમને લોકોને વેળાસર તેમના સંતાનોને રસી લેવડાવી દેવાની અપીલ કરી છે.
BA 2.2માં ભારતમાં પ્રવેશ કર્યો છે
BA 2.2 વેરિઅન્ટ પણ ભારતીય SARS-Co-2 Genomics Consortium (INSACOG) દ્વારા ભારતમાં પહોંચી ગયું છે. મહારાષ્ટ્ર, પુડુચેરી અને લદ્દાખમાં ત્રણ કેસ મળી આવ્યા હોવાનું જણાવાઈ રહ્યું છે.
ભારતમાં ચોથી લહેર લાવશે BA 2.2 વેરિયન્ટ
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં ઓમિક્રોનનું પેટા વેરિયન્ટ કોરોનાની ચોથી લહેર લાવશે કારણ કે ત્રણ રાજ્યોમાં આ વેરિયન્ટના કેસ મળ્યાં છે. મહારાષ્ટ્ર, પુડુચેરી અને લદ્દાખમાં ઓમિક્રોનના પેટા વેરિયન્ટના કેસ મળ્યાં છે.
મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે
નિષ્ણાંતોના જણાવ્યાનુસાર ભારતમાં મે-જૂનમાં કોરોનાની ચોથી લહેર આવી શકે છે.