NTA NEET Exam 2020: ઉમેદવાર હવે આ પરીક્ષા માટે પોતાનું પરીક્ષા કેન્દ્ર બદલી શકશે. જોકે આ માટે એનટીએ ઉમેદવારો પાસેથી વધુ નાણા લેશે. મહત્વનું છે કે કોરોના વાયરસના સંક્રમણને લઇને આ નિર્ણય લેવાયો છે.
જે ઉમેદવાર નેશનલ મેડિકલ એન્ટ્રેન્સ એગ્ઝામ NEET માટે એપ્લાઈ કર્યું છે તેઓ હવે પોતાના એપ્લીકેશન ફોર્મમાં પરીક્ષા કેન્દ્રની પસંદગી કરી શકે છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ એપ્લિકેશન ફોર્મમાં એડિટિંગ કરીને વ્યવસ્થા આપી દીધી છે, જે હેઠળ ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર માટે પોતાની પસંદગીના શહેરની પસંદગી કરી શકે છે.
પરીક્ષા કેન્દ્રની પસંદગી કરવાનું ઓપ્શન 14 એપ્રિલ સુધી જ ખુલ્લુ રહેશે.
માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકરે આ વિશે ટ્વિટ કર્યું છે.
📢Announcement
NEET(UG)-2020 applicants, in the view of current #COVID19 situation, I have advised @DG_NTA to further expand the scope of making corrections in the application forms allowing students to include the choice of cities for centres.
Read the PR for more details. pic.twitter.com/ROKgLeUqAf
— Dr Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) April 10, 2020
એનટીએ ડાયેક્ટર જનરલ વિનીત જોશીએ કહ્યું કે, હવે એનટીએ ઉમેદવારોને એપ્લિકેશન ફોર્મમાં તેની પસંદગીનું શહેર પસંદ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે પ્રશાસનિક કારણોને લઇને પરીક્ષા કેન્દ્ર બીજા શહેરમાં પણ હોય શકે છે અને આ મામલે એનટીએનો નિર્ણય જ અંતિમ હશે.
જોકે પરીક્ષા કેન્દ્ર બદલવા માટે એનટીએ ઉમેદવારો પાસેથી વધુ પૈસા લેશે. આ પૈસા ચૂકવણી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ, પેટીએમથી કરી શકાય છે.
જણાવી દઇએ કે કોરોનાગ્રસ્ત સંક્રમણને લઇને આ તકલીફોને ધ્યાને રાખતા વિદ્યાર્થીને એનટીએથી પરીક્ષા માટે શહેરમાં ફેરફાર કરવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓની અપીલને જોતા એનટીએએ આ નિર્ણય લીધો છે.
તમને જણાવી દઇએ કે આ પહેલા માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિંશકે કોરોનાવાયરસને ધ્યાને રાખતા નીટ પરીક્ષાને સ્થગિત કરી દીધી હતી. પહેલા આ પરીક્ષા 3 મેના રોજ લેવાની હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર સ્થિતિના મુલ્યાંકન બાદ નવી તારીખ જાહેર કરવામાં આવશે.