અમદાવાદમાં BRTS બસની અડફેટે 2 સગાભાઇના મોત મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. NSUIએ ગુજરાત કોલેજ પાસે BRTS બસને અટકાવી દીધી અને વિરોધ કર્યો હતો. ત્યારે પોલીસનો કાફલો ઘટનાં સ્થળે પહોંચી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
BRTS બસ દ્વારા અકસ્માતનાં મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન
ડૉ. યુવક- યુવતીએ CPR આપી બચાવવાની કરી હતી કોશિશ
મહિલા ડૉક્ટરે ઘાયલ યુવકને માઉથ ટુ માઉથ રેસ્પિરેશન પણ આપ્યું હતું
BRTS બસ દ્વારા અકસ્માતનાં મામલે NSUI દ્વારા વિરોધ પ્રદર્શન
અમદાવાદ BRTS બસની અડફેટે 2 સગાભાઈઓનાં મોતનાં મામલો NSUI દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. જેને પગલે NSUIએ શુક્રવારે BRTS બંધનું એલાન આપ્યું હતું. BRTSનાં બંધનાં એલાનનાં પગલે શહેમાં દોડી રહેલી બસોને NSUI દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત કોલેજ પાસે NSUI દ્વારા BRTSને રોકવાનો પ્રયાસ કરાયો હતો. આ સ્થિતિમાં શાંતી અને સલામતી બની રહે તે માટે પોલીસનો કાફલો ઘટનાં સ્થળે હોંચ્યો હતો.
NSUIએ BRTSને અટકાવી
NSUIએ આપેલાં BRTSનાં બંધનું એલાનને પગલે રોડ પર પસાર થઈ રહેલી બસો રોકવામાં આવી હતી. આ પરિસ્થિતિમાં બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. જેને કારણે ઘણા મુસાફરો નિયત સમેય પોતાનાં કામનાં સ્થળે કે અન્ય જગ્યાઓએ પહોંચી શક્યા નહોતાં. પોલીસે NSUIનાં કાર્યકરતાઓને ડિટેઈન પણ કર્યાં હતાં.
ડૉ. યુવક- યુવતીએ CPR આપી બચાવવાની કરી હતી કોશિશ
ગઈ કાલે અમદાવાદનાં પાંજરાપોળ વિસ્તારમાં BRTS અકસ્માતમાં બે સગાભાઇના મોત નિપજ્યા હતા. ત્યારે ઘટનામાં એક ભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજો ભાઈ વધારે ઘાયલ થયો હતો. આ સમયે ઘાયલ યુવકને બચાવાનો પ્રયાસ કરાયો હતો. ઘાયલ યુવક બચી જાય તે માટે ત્યાંથી પસાર થતી ખાનગી હોસ્પિટલના મહિલા સહિત બે ડૉક્ટરે ઘાયલ યુવાનને સીપીઆર આપીને જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો.
મહિલા ડૉક્ટરે ઘાયલ યુવકને માઉથ ટુ માઉથ રેસ્પિરેશન પણ આપ્યું હતું
મહિલા ડૉક્ટરે તો યુવાનને માઉથ ટુ માઉથ રેસ્પિરેશન આપ્યું હતું. પરંતુ બંને ડૉક્ટરે આપેલાં સીપીઆર તેમજ મહિલા ડૉક્ટરનાં માઉથ ટુ માઉથ રેસ્પિરેશન છતાં બીજા ભાઈનો પણ જીવ બચ્યો ન હતો. બંને ડોક્ટરનાં પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા. અજાણ્યા યુવકને બચાવવા માટે કરેલા પ્રયાસને લઈ તેમની લોકોએ સરાહના કરી હતી. CPRનો તુરંત ઉપયોગથી દર્દીનો જીવ બચી શકે છે. સૌ પ્રથમ 1954માં જેમ્સ એલામે આ પ્રયોગ કર્યો હતો. આ સ્કિલ દર્દીને નવજીવન આપી શકે છે.