ભારતમાં ગરીબીએ ફરી માથું ઉચક્યું છે. દેશમાં લોકો આહાર પાછળ ઓછો ખર્ચ કરી રહ્યા છે જેના કારણે કુપોષણ એક ગંભીર પ્રશ્ન બન્યો છે. દેશમાં સરેરાશ વ્યક્તિદીઠ ખર્ચ 2011-12 કરતા 2017-18માં ચિંતાજનક રીતે 3.7% જેટલો ઘટ્યો છે.
અહેવાલ મુજબ સરેરાશ વ્યક્તિદીઠ ખર્ચ 3.7% ઘટ્યો છે.
ગ્રામીણ વિસ્તારોમાં આ ઘટાડો 8.8% છે.
ગ્રામીણ વિસ્તારોમાં આહાર પાછળના ખર્ચમાં 10% ઘટાડો નોંધાયો છે.
ભારતમાં 40 વર્ષમાં પ્રથમ વખત લોકોના માસિક ખર્ચમાં ઘટાડો નોંધાયો છે જે ચિંતાજનક રીતે દર્શાવે છે કે દેશમાં છેલ્લા થોડા વર્ષોમાં ગરીબી વધી રહી છે. ભારતમાં સરેરાશ વ્યક્તિદીઠ ખર્ચ 2011-12 કરતા 2017-18માં ચિંતાજનક રીતે 3.7% જેટલો ઘટ્યો છે. 2011-12માં સરેરાશ ખર્ચ 1501 રૂપિયા હતો જે 2017-18માં ઘટીને 1446 રૂપિયા પહોંચી જવા પામ્યો છે.
ગ્રામીણ વિસ્તારોમાં આહાર પાછળના ખર્ચમાં 10% ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો સીધો જ દેશના કથળતા કુપોષણની દશા માટે જવાબદાર ગણી શકાય.
નેશનલ સ્ટેટેસ્ટિકલ ઓફિસના આ સમગ્ર અહેવાલનું ન્યુઝ એજન્સી બિઝનેસ સ્ટાન્ડર્ડ વડે પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું જેમણે જણાવ્યું હતું કે આ સર્વે જુલાઈ 2017 થી જૂન 2018ની વચ્ચે લેવામાં આવ્યો હતો. આ અહેવાલ 19 જૂન 2019માં એપ્રુવ પણ કરાયો હતો જેને અત્યારે રહસ્યમયી કારણોસર પાછો ખેંચી લેવામાં આવ્યો છે.
In contrast to media reports claiming to have caused junking of 2017-18 Consumer Expenditure Survey, the Advisory Committee on National Accounts Statistics had already recommended that 2017-18 is not an appropriate year to be used as the new base year. https://t.co/xWtBeXHQRu
“We would like to emphatically state that there is a rigorous procedure for vetting of data and reports which are produced through surveys. All such submissions which come to the Ministry are draft in nature and cannot be deemed to be the final report.”
ગ્રામીણ વિસ્તારોમાં આ સરેરાશ ખર્ચમાં ઘટાડો 8.8% છે. જયારે શહેરી વિસ્તારોમાં આ ખર્ચમાં 2%નો વધારો જોવા મળ્યો છે. આ અહેવાલ એવા સમયે લેવાયો હતો જયારે મોદી સરકારે નોટબંધીનો નિર્ણય લીધો હતો અને GSTનું અમલીકરણ કરાવ્યું હતું.
4 દાયકામાં પ્રથમ વખત આવું બન્યું છે
બિઝનેસ સ્ટાન્ડર્ડ્સના મતે 1972-73માં વૈશ્વિક ઓઇલ કટોકટીના પગલે દેશના ખર્ચમાં ઘટાડો નોંધાયો હતો.
આહાર પરના ખર્ચમાં નોંધાયો છે ઘટાડો
બિઝનેસ સ્ટાન્ડર્ડ્સના અહેવાલ પ્રમાણે 2017-18માં ગ્રામીણ વિસ્તારમાં આહાર પાછળ 580 રૂપિયા ખર્ચ થતો હતો જયારે 2011-12માં આ આંકડો 643 રૂપિયા હતો જે 10%નો ઘટાડો દર્શાવે છે.
શહેરી વિસ્તારમાં 2017-18માં 946 રૂપિયાનો ખર્ચ થતો હતો જે 2011-12માં 943 રૂપિયા હતું. આમ આ રકમમાં 3 રૂપિયાનો નજીવો વધારો થયો હતો.
પ્લાનિંગ કમિશનના પૂર્વ સભ્ય અભિજીત સેને જણાવ્યું હતું કે લોક કલ્યાણ મુદ્દે આ ખુબ ગંભીર બાબત છે. લોકોના આહાર પાછળના ખર્ચમાં થયેલ ઘટાડો અને ગ્રામીણ વિસ્તારમાં ઘટી રહેલો ખર્ચ સીધી વધી રહેલા કુપોષણ અને ગરીબી તરફ ઈશારો કરે છે.