રાષ્ટ્રિય સુરક્ષા ગાર્ડ (NSG) પાસે જલ્દી પોતાનું એન્ટી ડ્રોન સિસ્ટમ હશે. 31 ઓક્ટોબરે ગુજરાતની કેવડિયા કોલોનીમાં PM મોદી સ્વતંત્રતા સંગ્રામ સેનાનીઓની યાદમાં આયોજિત એક કાર્યક્રમમાં સામેલ થશે અને એ સમયે એન્ટી ડ્રોન સિસ્ટમ સ્ટેચ્યૂ ઓફ યૂનિટી નામથી બનેલી સરદાર પટેલની પ્રતિમા પર રખાશે.
PM મોદીના કાર્યક્રમમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી પર રખાશે એન્ટી ડ્રોન સિસ્ટમ
દુશ્મનના કોઈ પણ ડ્રોનને તોડી પાડવામાં સક્ષમ હશે આ ડ્રોન
NSG પાસે ઝડપથી આવશે પોતાનું એન્ટી ડ્રોન સિસ્ટમ
સુરક્ષાની બાબતમાં કોઈ સમાધાન નહી
સતત વધી રહેલા ડ્રોનના ખતરાની આશંકાએ સુરક્ષા દળો હવે કોઈ સમાધાન ઇચ્છતા નથી. NSGના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, "એન્ટી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ સામાન્ય રીતે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રોજ શહેરી વિસ્તારોમાં પ્રજાસત્તાક દિન જેવા પ્રસંગો પર થાય છે. હવે તેને ગુજરાતમાં આ મોટી ઘટનામાં લઈ જવામાં આવે તેવી સંભાવના છે."
31 ઓક્ટોબરના કાર્યક્રમની જવાબદારી સીઆરપીએફની
આ તકનીકના રડારનું વજન 200 કિલો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અસલી એન્ટી ડ્રોન સ્વીડિશ કંપનીની છે, જેમાં પોતાની આજુબાજુના કોઈ પણ દુશ્મન ડ્રોનને ઠાર કરવાની ક્ષમતા ધરાવે છે. સીઆરપીએફ જે કેન્દ્રીય એજન્સી છે તે 31 ઓક્ટોબરના કાર્યક્રમની સુરક્ષા માટે જવાબદાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એસપીજી અને એનએસજી જેવી સુરક્ષા એજન્સીઓ પણ ત્યાં હાજર રહેશે.
કેટલું ઉપયોગી રહેશે એન્ટી ડ્રોન સિસ્ટમ
એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે આ ટેકનીકથી કોઈપણ પ્રકારના ડ્રોનને જામ કરી શકાય છે. એન્ટિ-ડ્રોન સિસ્ટમની મદદથી, 3 કિ.મી.ની ત્રિજ્યામાં આવેલ કોઈપણ ડ્રોનને નિષ્ક્રિય કરી શકાય છે. તે ડ્રોનના જીપીએસને અવરોધિત કરી શકે છે અને કંટ્રોલ કમાન્ડ રૂમમાં સચોટ માહિતી પહોંચાડવા માટે સક્ષમ છે. એનએસજીના ડીજી એસએસ દેશવાલે જણાવ્યું હતું કે, અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ. સરહદ પર ઝડપાયેલા ડ્રોનને જોવા માટે એનએસજી તેની ટીમ મોકલી રહ્યું છે.
વધુમાં તેઓએ કહ્યું કે પાકિસ્તાન ડ્રોનની મદદથી ભારતીય સરહદ પર પંજાબમાં શસ્ત્રો અને ડ્રગ્સ મોકલી રહ્યું છે. આ ડ્રોન હવે આતંકવાદીઓ સુધી પણ પહોંચી ગયા છે. એજન્સીઓની આગાહી છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથના ડ્રોનની મદદથી કોઈ મોટો હુમલો કરી શકાય છે."
હજુ વધારે એન્ટી ડ્રોન ખરીદી શકાય તે શક્ય છે
સૂત્રો કહે છે કે NSGએ જે ડ્રોન ખરીદ્યા છે તે ટ્રાયલ આધારે ખરીદવામાં આવ્યા છે. પરંતુ વધુ એન્ટી ડ્રોનને ઓર્ડર કરી શકાય છે અને પ્રાદેશિક પાયા પર તૈનાત કરી શકાય છે. DGએ પણ સમર્થન આપ્યું હતું કે NSG બ્લેકકેટ્સને વિશે વિચારવાનું પ્લાનિંગ કરી રહી છે.
સુરક્ષાને કારણે શ્રીનગરમાં સક્રિય છે એક કેન્દ્ર
"જમ્મુ-કાશ્મીરના સુરક્ષા વાતાવરણને ધ્યાનમાં રાખીને શ્રીનગરમાં અમારું એક કેન્દ્ર છેલ્લા એક વર્ષથી સક્રિય છે. આપણો પડોશી દેશ નૈતિક રીતે ઇચ્છિત વર્તન કરતો નથી. બીજી બાજુથી કંઈ પણ થઈ શકે છે." તેથી, તે પરિસ્થિતિઓ સાથે વ્યવહાર કરવા માટે, શ્રીનગરમાં પહેલેથી જ એક કેન્દ્ર સક્રિય છે અને આ સિવાય અમે અમૃતસર અને પઠાણકોટમાં પણ અમારા કેન્દ્રોને સક્રિય કરીશું. "