દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું રોકાણ ટૂંક સમયમાં બમણું થઈ જાય એવામાં લોકો ઓછા સમયમાં પૈસા ઝડપથી બમણા થઇ જાય તેવા વિકલ્પને પસંદ કરે છે અને સાથે તેમ પણ ઈચ્છે છે કે તેમના રોકાણ પર કોઈ જોખમ ના રહે. મોટાભાગના લોકો તેના માટે બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પસંદ કરે છે પરંતુ એક સ્કીમ બેંક FD કરતા ઝડપથી બમણા કરે છે. આ સ્કીમ પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) છે. તો જાણીએ શું છે NSC અને કઇ રીતે કરી શકાય રોકાણ...
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) ભારતની સરકાર તરફથી જારી કરેલી એક નાની બચત યોજના છે. NSC દેશની કોઇ પણ પોસ્ટ ઑફિસની બ્રાન્ચમાંથી લઇ શકાય છે. NSCની મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો હોય છે. તેની પર 8 % વાર્ષિક વ્યાજ મળે છે. NSC સ્મોલ સેવિંગ્સમાં આવે છે અને સરકાર દર 3 મહિના પર સ્મોલ સેવિંગ્સ માટે વ્યાજ રિવાઈઝ કરે છે.
8 % વ્યાજના દરથી તમે 10000 રૂપિયાની NSC ખરીદો છો તો તમારા પૈસા 9 વર્ષમાં બમણા થઇ જશે તો બીજી તરફ SBI બેંકમાં FD કરાવો છો તો તમારા પૈસા બમણા થવામાં 10 વર્ષ જેટલો સમય લાગશે.
કઇ રીતે લઇ શકાશે NSC:
એક સિંગલ હોલ્ડર ટાઇપ સર્ટિફિકેટ કોઇ પણ એડલ્ટ અથવા તો પોતાના બાળકના નામથી ખરીદી શકે છે. NSCમાં 100 500 1000 5000 10 000 ના સર્ટિફિકેટ મળે છે તેમાં રોકાણ કરવાની કોઇ સીમા નથી.
ટેક્સ છૂટમાં મળશે લાભ:
NSCમાં રોકાણ કરવા પર ઇન્કમ ટેક્સ સેક્શન 80Cની હેઠળ ટેક્સ છૂટ મળશે. જોકે આ છૂટ 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પણ મળે છે. . NSCના VIII ઈશ્યૂને કોઈ અન્ય વ્યક્તિને ટ્રાંસફર કરી શકાય છે. જોકે આવું તેના મેચ્યોર થયા પહેલા માત્ર એક વખત કરી શકાય છે.
પૈસાની સેફ્ટીની ગેરન્ટી:
પોસ્ટ ઑફિસમાં જમા પૈસા પર સોવરન ગેરન્ટી હોય છે એટલે કે કોઈ પરિસ્થિતિમાં જો પોસ્ટલ ડિપાર્ટમેન્ટ રોકાણકારની રકમ આપવામાં ફેઈલ થઈ જાય તો અહીં સરકાર આગળ આવી રોકાણકારોના પૈસાની ગેરન્ટી લે છે. કોઈ પણ સ્થિતિમાં તમારા પૈસા પસાતા નથી. પોસ્ટ ઑફિસ સ્કીમમાં જમા પૈસાનો ઉપયોગ સરકાર પોતાના કામ માટે કરે છે. આ કારણથી આ પૈસા પર સરકારની ગેરન્ટી પણ હોય છે.