અૃમતપાલસિંહનાં પાંચ સાથીઓ પર NSA લગાવવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ અમૃતપાલસિંહ પર પણ NSA લાગી શકે છે.
અૃમતપાલસિંહનાં પાંચ સાથીઓ પર NSA લાગૂ
સંભવત: અમૃતપાલ પર પણ લાગી શકે છે NSA
IG સુખચૈન સિંહે આપી સ્થિતીની તમામ માહિતી
અમૃતપાલસિંહનાં પાંચ સાથીઓ પર નેશનલ સિક્યોરિટી એક્ટ NSA લગાડવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક જ સમયમાં અમૃતપાલ સિંહ પર પણ NSA લાગૂ પડી શકે છે. પોલીસ હાલમાં પણ તેને શોધી રહે છે. પોલીસે તેને ભાગેડુ જાહેર કર્યો છે.
ISI સાથે સંબંધ હોવાના પોલીસ પાસે પુરાવા
પોલીસ કહે છે કે અમૃતપાલસિંહનાં સાથીઓની પાસેથી મળી આવેલી મોંઘી ગાડીઓ તેમના આવકનાં સ્ત્રોતથી અલગ પડે છે. પંજાબ પોલીસ IG સુખચૈન સિંહ ગીલ કહે છે કે પોલીસની પાસે ISI સાથે સંબંધ હોવાનો અને ફોરેન ફંડિગનાં પૂરતા પુરાવાઓ તેની વિરોધમાં હાજર છે. પોલીસની પાસે પુરાવાઓ છે કે આ લોકોને વિદેશોમાંથી થોડા-થોડા કરીને પૈસા મોકલવામાં આવતા હતાં.
#AmritpalSingh 's Uncle & 5 Close Aides Slapped with NSA Act,which WILL also be imposed on #Amritpal_Singh WHEN & IF he's Detained FORMALLY.
Under NSA Act, accused can be DETAINED for period of 12 Months WITHOUT BAIL as he is Not Arrested BUT Detained & No MiLords can ACT… https://t.co/o15X7quG5T
144 લોકોની થઈ ચૂકી છે ધરપકડ
IG સુખચૈન સિંહ ગીલએ કહ્યું કે હાલમાં રાજ્યમાં શાંતિ છે, સ્થિર સ્થિતી છે. વારિસ પંજાબ દે નાં કેટલાક તત્વોની સામે વિશિષ્ટ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમની સામે 6 ગુનાઓ નોંધવામાં આવ્યાં છે. અત્યારસુધીમાં 144 અસામાજિક તત્વોએ શાંતિ ભંગ કરવાનાં પ્રયાસો કર્યાં છે. હાલમાં 78 લોકોની પહેલા જ દિવસે ધરપકડ કરવામાં આવી હતી. 34ને બીજા દિવસે અને અન્ય 2 ની ગઈકાલે રાત્રે ધરપકડ કરવામાં આવી છે.
અફવાઓ ફેલાનારા લોકો પર લેવાશે એક્શન
પોલીસ અનુસાર અમૃતપાલ સિંહ ફરાર છે. અફવાહ ફેલાવનારાઓની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલામાં અત્યાર સુધીમાં 10 હથિયારો મળી આવ્યાં છે. પોલીસ અનુસાર ISI લિંક અને વિદેશી ફંડિગનાં પણ પુરાવાઓ મળી આવ્યાં છે.
મોંઘી ગાડીઓ સાથે ફરતો હતો અમૃતપાલ
અમૃતપાલને હાલમાં પોલીશ શોધી રહી છે પરંતુ પોલીસ સહિત અનેક એજન્સીઓ અમૃતપાલનાં સમગ્ર રેકોર્ડ કાઢવામાં લાગેલી છે. માહિતી અનુસાર અમૃતપાલ મોંઘી મર્સિડીઝ GLમાં ફરતો હતો. તેના જૂથમાં એન્ડેવરની ગાડીઓ ચાલતી હતી અને જે દિવસે પોલીસ તેનો પીછો કરી રહી હતી અમૃતપાલનાં જૂથમાંથી મર્સિડીઝ સહિત એન્ડેવર ગાડીઓ શામેલ હતી.
શું છે NSA?
રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયન 1980, દેશની સુરક્ષા માટે સરકારને વધારે શક્તિ આપવા સંબંધિત કાયદો છે. આ કાયદો કેન્દ્ર અને રાજ્ય સરકારને કોઈપણ શંકાસ્પદ નાગરિકની ધરપકડ કરવા માટેનો પાવર આપે છે. 23 સપ્ટેમ્બર 1980નાં ઈન્દિરા ગાંધીની સરકાર દરમિયાન આ કાયદો બનાવવામાં આવ્યો હતો.
કોણ છે અમૃતપાલસિંહ?
અમૃતપાલસિંહને શોધવામાં હાલમાં સમગ્ર પંજાબ પોલીસ લાગી ગઈ છે ત્યારે કથિત ધોરણે તેણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપ્યા હોવાનો આરોપ છે. એટલું જ નહીં વારિસ પંજાબ દે સંગઠનનાં પ્રમુખ અમૃતપાલસિંહનાં સમર્થકોએ 23 ફેબ્રુઆરીનાં રોજ અજનાલા પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો. અમૃતપાલ સિંહ ખાલિસ્તાની સમર્થક દીપ સિધ્ધૂનું સંઠગન 'વારિસ પંજાબ દે'નો વડો છે. વિકિપીડિયા અનુસાર શીખ ધર્મના પ્રસાર માટે અમૃત અભિયાન ચાલે છે. તેણે પોતાનો પ્રથમ અમૃત પ્રચાર અભિયાન રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં આયોજિત કર્યો હતો જેમાં આશરે 647 લોકોએ અમૃતગ્રહણ કર્યું હતું. રિપોર્ટ અનુસાર અમૃતપાલે તો સરકારને પડકારતાં કહ્યું હતું કે' હું સરકારને કહેવા ઈચ્છું છું કે જો તે મને પકડવા ઈચ્છે છે તો મને જગ્યા કહો. એક તરફ સરકાર કહે છે કે તે મને શોધી રહી છે અને બીજી તરફ તે જાણે છે કે હું ક્યાં હતો. પછી તે ખોટું શા માટે બોલી રહી છે કે તેમણે રેડ પાડી?'તેણે હાલમાં ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપતાં કહ્યું કે 'અમિતશાહે કહ્યું હતું કે ખાલિસ્તાન આંદોલનને વધવા નહીં દઈએ. મેં કહ્યું હતું કે ઈન્દિરા ગાંધીએ પણ આવું જ કહ્યું હતું. જો તમે પણ આવું કરો છો તો તમને પણ પરિણામ ભોગવવું પડશે. '