પરિવર્તનની લહેર ભારતીય સેનામાં જોવા મળી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ યોજનાથી ભારતીય સેનામાં મોટા પરિવર્તનો આવશે, ત્યારે હવે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અગ્નિપથ યોજનાને લઈને પ્રથમ વાર ખુલીને વાત કરી છે.
અગ્નિપથ યોજનાને લઈને NSA અજીત ડોભાલે કરી મોટી વાત
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે અગ્નિપથ યોજનાને આજના યુગની જરૂરિયાત ગણાવી
ભવિષ્યમાં ભારતનો શું હશે પ્લાન તેને લઈને વિગતવાર જણાવ્યું
અગ્નિપથ યોજનાને લઈને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સામે આવ્યા છે. તેમણે અગ્નિપથ યોજનાને સમયની જરૂરિયાત ગણાવી છે. રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા પર વાત કરતા તેમણે કહ્યું કે, ભારતની આજૂબાજૂમાં માહૌલ બદલાઈ રહ્યો છે. ત્યારે આવા સમયે સેનામાં પરિવર્તન જરૂરી છે.
#WATCH अकेले अग्निवीर पूरी आर्मी कभी नहीं होंगे, अग्निवीर सिर्फ पहले 4 साल में भर्ती किए गए जवान होंगे। बाकी सेना का बड़ा हिस्सा अनुभवी लोगों का होगा। जो अग्निवीर नियमित होंगे(4 साल बाद) उन्हें घनिष्ठ ट्रेनिंग दी जाएगी: राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोभाल pic.twitter.com/tCC8FXmOSD
ડોભાલે કહ્યું કે, બદલાતા સમયની સાથે સેનામાં પણ ફેરફાર જરૂરી છે. તેને એક દ્રષ્ટિકોણથી જોવાની જરૂર છે. અગ્નિપથ ખુદ એક સ્ટેંન્ડઅલોન યોજના નથી. 2014માં જ્યારે પીએમ મોદી સત્તામાં આવ્યા, તો તેમની પ્રમુખ પ્રાથમિકતાઓમાંથી એક ભારતને સુરક્ષિત અને મજબૂત બનાવાનું હતું. અજીત ડોભાલે કહ્યું કે, જે આપણે કાલે કરી રહ્યા હતા, તેવુ જ ભવિષ્યમાં પણ કરીશું તો આપણે સુરક્ષિત રહીશું તે જરૂરી નથી. જો આપણે આવતીકાલની તૈયારી કરવાની થાય છે, તો આપણે પરિવર્તનને સ્વિકારવું પડશે. અગ્નિવીર યોજના જરૂરી છે, કારણ કે ભારતમાં, ભારતની ચારેતરફ માહોલ બદલાઈ રહ્યો છે.
#WATCH "We will not beg for peace at any terms," asserts National Security Advisor Ajit Doval on Pakistan pic.twitter.com/H8Uk4aI1eK
અજીત ડોભાલે કહ્યું કે, યુદ્ધ હવે મોટા પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આપણે સંપર્ક રહિત યુદ્ધ તરફ જઈ રહ્યા છીએ અને આપણી અદ્રશ્ય શત્રુઓની સાથે લડાઈ છે. હથિયારોની જગ્યાએ ટેકનોલોજીનો સહારો લેવામાં આવી રહ્યો છે. એટલા માટે આપણે કાલની તૈયારી કરવાની છે જેના માટે આપણે આપણી જાતને બદલવી પડશે. બદલાતા સમયમાં ચાર ફેરફારની જરૂર છે. તેના માટે સાધનોની જરૂર છે. તેના માટે સિસ્ટમ અને સંરચનાઓમાં ફેરફાર કરવા જરૂરી છે. ટેકનોલોજીમાં પરિવર્તનની જરૂર છે. સાથે જ જનશક્તિ, નીતિઓમાં ફેરફારની જરૂરિયાત છે.
#WATCH | National Security Advisor (NSA) Ajit Doval says, "We have a long-pending territorial dispute with China. We have made our intentions very clear to China. They are aware of the fact that we will not tolerate any transgression...," while speaking on China. pic.twitter.com/Ob21atP7cJ
ડોભાલે આગળ કહ્યું કે, અગ્નિવીર ક્યારે પણ પુરી સેના તો નહીં થાય, પણ જે અગ્નિવીર નિયમીત થતાં જશે, તે ઊંડા પ્રશિક્ષણમાંથી પસાર થશે. સમયની સાથે તેમને અનુભવ મળશે. તેમણે આગળ કહ્યું કે, જ્યાં સુધી રેજીમેંટનો સવાલ છે, તો કોઈ પણ રેજિમેન્ટની વ્યખ્યા સાથે છેડછાડ નહીં કરી શકે. રેજિમેંટલ સિસ્ટમ ખતમ નથી થયું. તે સેનામાં ચાલુ જ રહેશે.
ડોભાલે અગ્નિવીર યોજના સાથે જોડાયેલા ભ્ર્મને દૂર કરવાની કોશિશ કરી છે. તેમણે કહ્યું કે, સેનામાં ચાર વર્ષ વિતાવ્યા બાદ જે અગ્નિવીર પાછા આવશે, તેઓ સમાજના અન્ય નાગરિકો કરતા વધારે સ્કિલ્ડ અને ટ્રેંડ હશે. તેમણે કહ્યું કે, પહેલા અગ્નિવીર રિટાયર થશે, તે 25 વર્ષના હશે. ત્યારે ભારતની ઈકોનોમી 5 ટ્રિલિયમ ડોલરની હશે. ભારતની વધતી અર્થવ્યવસ્થાને ત્યારે આવા જ સ્કીલ્ડ લોકો જોઈશે. તેમણે કહ્યું કે, આ અગ્નિવીર પરિવર્તનના વાહક બનશે. તેમણે કહ્યું કે, આજે ભારતમાં બેનલી AK-203ની સાથે નવી અલોસ્ટ રાઈફલને સેનાામં સામેલ કરવામાં આવી રહી છે. તે દુનિયાની સૌથી સારી અસોલ્ટ રાઈફલ છે. સેન્ય સાધનોમાં ખૂબ પ્રગતિ થઈ રહી છે.