NSA અજીત ડોભાલે આજે રશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર સામે આવતાની સાથે જ તમામ લોકોમાં એક સવાલ થઈ રહ્યો છે કે શું ભારત કોઈ મોટી રણનીતિ તૈયાર કરી રહ્યું છે ?
NSA અજીત ડોભાલે રશિયાના રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત
રશિયામાં આવેલા ભારતીય દુતાવશ દ્વારા કરાઈ પુષ્ટી
બને વચ્ચે દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પાર વિસ્તારપૂર્વક ચર્ચા કરાઇ
મળતી માહિતી પ્રમાણે ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા. જે મામલે રશિયામાં આવેલા ભારતીય દુતાવશ પુષ્ટી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.આવી તણાવભરી સ્થિતિ વચ્ચે અજિત ડોભાલ અને પુતીનની મુલાકાતને મહત્વની ગણવામાં આવી રહી છે.
મુલાકાતમાં ક્યાં મુદ્દા પર થઈ ચર્ચા?
ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને રશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત થઈ હતી. આ બેઠકમાં કરવામાં આવેલી ચર્ચાની જો વાત કરીએ તો, બને વચ્ચે દ્વિપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પાર વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવ્યાની વાતની જાણકારી રશિયામાં આવેલા ભારતીય દુતાવશ દ્વારા આપવામાં આવી છે. આ ઉપરાંત ભારત અને રાશિય આ બને દેશ વચ્ચે પણ વ્યૂહાત્મક પાર્ટનારશીપના અમલની દિશામાં કામ ચાલુ રાખવા અંગે પણ સહમતી અંગે ચર્ચા થઈ હતી.
અફઘાનિસ્તાન પર સુરક્ષા પરિષદ/એનએસએના સચિવોની બેઠક યોજાઇ હતી જેમાં ડોભાલે જણાવ્યું હતું કે કાબુલમાં પ્રતિનિધિત્વની વ્યવસ્થા અફઘાન સમાજના હિતમા વધુમાં અફઘાનિસ્તાનના લોકોની સુખાકારી અને માનવતાવાદી જરૂરિયાતો ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા હોવાનો પણ દાવો કર્યો હતો. વધુમાં આતંકવાદ ક્ષેત્ર માટે મોટો ખતરો બની ગયો હોવાથી આતંકવાદી સંગઠનો સામે લડવા સભ્ય દેશો વચ્ચે ગુપ્ત માહિતી અને સુરક્ષા ખૂબ જ જરૂરી છે.