લદ્દાખમાં લાઇન ઓફ કંટ્રોલ (LAC) પર ભારત અને ચીન વચ્ચે તણાવ યથાવત છે. આ દરમિયાન સૂત્રોના હવાલેથી જણાવા મળ્યું છે કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોવાલે આ મામલે વીડિયો કોલ દ્વારા રવિવારે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે વાત કરી હતી. એવું માનવામાં આવે છે કે સોમવારે ચીનના સૈનિકો લદ્દાખ ગલવાન ખીણમાં પીછેહઠ કરી તેમની વાતચીતનું પરિણામ છે.
LAC પર ભારત અને ચીન વચ્ચે તણાવ યથાવત
NSA અજિત ડોવાલે ચીનના વિદેશમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત
સમાચાર એજન્સી ANIના સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે NSA અજિત ડોવાલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચેની વાતચીત સૌહાર્દપૂર્ણ અને અગમચેતી પર આધારિત હતી. સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, શાંતિનું ફરીથી સંપૂર્ણ પુન:સ્થાપન માટે બંને સાથે મળીને કામ કરવાની ચર્ચા થઈ છે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને.
The focus of the conversation between NSA Ajit Doval & Chinese FM Wang Yi was the full and enduring restoration of peace and tranquillity and to work together to avoid such incidents in future: Sources https://t.co/pPhvCqGEwh
આ તરફ ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સમાં ચીની વિદેશ મંત્રાલયના પ્રવાક્તાનું નિવેદન પ્રકાશિત થયું હતું. જેમાં પ્રવક્તાએ કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે 30 જૂનના રોજ થયેલી ત્રીજી કમાન્ડર સ્તરની મંત્રણા બાદ બંન્ને રાષ્ટ્રોએ આ વિસ્તારમાંથી પોતાના સૈનિકો પાછા ખસેડી લેવા અને તેમની સંખ્યામાં ઘટાડો કરવા અંગે પ્રભાવી ઉપાયો અપનાવી રહ્યા છે.
China & India have made progress coming up with effective measures for frontline troops to disengage & deescalate the border situation at the 3rd commander-level talks between the two militaries on June 30: China's Global Times quotes Chinese Foreign Ministry Spox Zhao Lijian pic.twitter.com/UzuWb3gcBk
આપને જણાવી દઇએ કે ભૂતકાળમાં લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ આખરે ભારત અને ચીનના સૈનિકો(India-China Faceoff) પીછેહઠ કરી ચૂક્યા છે. સૂત્રોએ આ માહિતી આપી છે મળતી માહિતી મુજબ બંને દેશોની સેનાએ હિંસક અથડામણની જગ્યાએથી 1.5 કિ.મી. પાછી ખેંચી લીધી છે. તે કદાચ ગલવાન ખીણમાં સીમિત છે. હવે તેને બફર ઝોન બનાવવામાં આવ્યો છે, જેથી આગળ કોઈ હિંસક બનાવ ન બને. આ સિવાય ચીની સેના વધુ બે સ્થળેથી પીછેહઠ કરી છે. બંને પક્ષ કામચલાઉ બંધારણ પણ દૂર કરી રહ્યા છે. ભારતે પણ ચીની સૈનિકોની પાછા હટવા અંગેની ફિઝીકલી ચકાસણી પણ કરી છે.