આધાર કાર્ડ ભારતીય નાગરિકોની સાથે બિન નિવાસી ભારતીયો માટે પણ ઉપલબ્ધ છે. UIDAIએ હવે બિન નિવાસી ભારતીયો માટે આધાર કાર્ડ બનાવવાના નિયમો સરળ બનાવી દીધા છે. NRIએ આધાર કાર્ડ બનાવવા માટે હવે વધુ દિવસોની રાહ જોવી પડશે નહીં.
NRIs માટે Aadhaar Card બનાવવુ થયુ સરળ
UIDAIએ બિન નિવાસી ભારતીયો માટે નિયમો કર્યા સરળ
NRIs માન્ય પાસપોર્ટ દ્વારા આધાર માટે કરી શકશે અરજી
NRIs માટે આધાર કાર્ડના નિયમોમાં ફેરફાર
અત્યાર સુધી NRIsને આધાર કાર્ડ પ્રાપ્ત કરવા માટે પહેલાં 182 દિવસો એટેલેકે 6 મહિનાની રાહ જોવી પડતી હતી, પરંતુ UIDAIએ હવે આ શરતોમાં છૂટછાટ આપી છે. NRIs ભારત પાછા આવ્યાં બાદ પોતાના માન્ય પાસપોર્ટ દ્વારા આધાર માટે અરજી કરી શકે છે. UIDAIએ ટ્વિટ દ્વારા આ માહિતી આપી છે. જેમાં તેમણે લખ્યું છે કે બિન નિવાસી નાગરિકોને સુચિત કરવામાં આવે છે કે NRIsને 182 દિવસો સુધી રાહ જોવાની જરૂર નથી. ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે માન્ય ભારતીય પાસપોર્ટવાળાં NRI ભારત પાછા આવ્યાં બાદ આધાર માટે અરજી કરી શકે છે.
NRI આધાર કાર્ડ માટે આ રીતે કરે અરજી
કોઈ પણ આધાર નોંધણી કેન્દ્ર પર પોતાના માન્ય પાસપોર્ટની સાથે જાઓ
આધાર નોંધણી કેન્દ્ર પર અધિકારી તમને એક અરજી ફોર્મ આપશે, જેમાં જરૂરી માહિતી ભરો
ફોર્મમાં તમારે તમારી Email ID આપવુ અત્યંત જરૂરી છે.
NRI એનરોલમેન્ટ માટે ડેક્લેરેશન થોડુ અલગ હોય છે, તેને એક વખત વાંચી લો અને એનરોલમેન્ટ ફોર્મ પર પોતાની સાઈન કરો
ઓપરેટરને કહો કે તમારું એનરોલમેન્ટ NRI તરીકે ભરે
જેના માટે તમે પાસપોર્ટ બતાવો એટલેકે તમારી ઓળખ સાબિત થાય
તમે તમારા પાસપોર્ટને રહેઠાણના પુરાવા અને જન્મતિથિના પુરાવા તરીકે ઉપયોગ કરી શકો છો અથવા બીજો કોઈ માન્ય પુરાવો પણ આપી શકો છો
તમારે એક પાસપોર્ટ સાઈઝ ફોટો આપવો પડશે. સરકારે પહેલાં લીધેલી તસ્વીરોનો સ્વીકાર કરશે નહીં અને રૂબરૂમાં જ તમારો ફોટો પાડવામાં આવશે અને તેની પ્રિન્ટ આપવામાં આવશે
અરજી જમા કરવાની મંજૂરી આપતા પહેલાં સ્ક્રીન પર અંગ્રેજી અથવા સ્થાનિક ભાષામાં બધી માહિતી તપાસી લો
એકનોલેજમેન્ટ સ્લિપ, એનરોલમેન્ટ સ્લિપ કલેક્ટ કરી લો. જેમાં 14 ડિઝીટલની એનરોલમેન્ટ આઈડી, તારીખ અને સમયનો સ્ટેમ્પ હોય છે
તમે તમારા આધાર કાર્ડનું સ્ટેટસ Aadhaar from: https://resident.uidai.gov.in/check-aadhaar પર ચેક કરી શકો છો
આધાર કાર્ડને બનાવવા અને મોકલવામાં 90 દિવસનો સમય લાગે છે, તેથી ત્યાં સુધી રાહ જુઓ