એનડીએની ગત સરકારમાં વડાપ્રધાનના મુખ્ય સચિવ રહેલા નૃપેન્દ્ર મિશ્રા અને એડિશનલ સચિવ ડો. પી.કે.મિશ્રા પર વડાપ્રધાન મોદીએ ફરી એકવાર વિશ્વાસ દર્શાવ્યો છે.
કેબિનેટની નિયુક્તિ સમિતિએ ભારતીય વહીવટીય સેવા (IAS) ના વરિષ્ઠ અધિકારી રહેલા નૃપેન્દ્ર મિશ્રા અને પી.કે. મિશ્રાને મંગળવારે ફરી વડાપ્રધાન મોદીના ક્રમશ મુખ્ય સચિવ અને એડિશનલ સચિવ નિયુક્ત કર્યા છે.
બંને અધિકારીઓને કેબિનેટનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. કેબિનેટ નિયુક્તિ સમિતિએ 31 મેથી બંનેની નિયુક્તિને મંજૂરી આપી છે. બંને અધિકારીઓનો કાર્યકાળ વડાપ્રધાનના કાર્યકાળ સાથે પૂર્ણ થશે.
બંને વરિષ્ઠ પ્રધાન એનડીએની ગત સરકારમાં પણ પોતાની સેવાઓ આપી ચુક્યા છે. કેબિનેટની નિયુક્તિ સમિતિએ મંગળવારે આ મામલે જાહેરાત કરી જાણકારી આપી છે. આ પહેલા એનડીએની ગત સરકારમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) રહેલા અજિત ડોભાલ પર પણ મોદી સરકારે ફરી વિશ્વાસ દર્શાવતા ફરી 5 વર્ષ માટે NSA નિયુક્ત કર્યા છે.