કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સંસદમાં જાહેરાત કરી હતી કે NRC નો અમલ આખા દેશમાં કરવામાં આવશે. આ સાથે, તેમણે કહ્યું કે કોઈ પણ ધર્મના લોકોને તેનાથી ડરવાની જરૂર નથી. શાહે રાજ્યસભામાં કહ્યું કે એનઆરસીમાં લોકોને ધર્મના આધારે બાકાત રાખવાની જોગવાઈ નથી.
અમિત શાહની સંસદમાં જાહેરાત
NRC નો અમલ આખા દેશમાં કરવામાં આવશે
કોઈ પણ ધર્મના લોકોને તેનાથી ડરવાની જરૂર નથી
જો કોઈનું નામ એનઆરસીમાંથી બાકાત રાખવામાં આવ્યું છે, તો તેમને ટ્રિબ્યુનલમાં અરજી કરવાનો અધિકાર છે. જો તેમની પાસે આ માટે પૈસા નથી, તો આસામ સરકાર આ માટે વકીલ પ્રદાન કરશે. તમને જણાવી દઈએ કે, આસામમાં પ્રથમ વખત એનઆરસી લાગુ કરવામાં આવ્યો છે, જેમાં 19 લાખ લોકોને બાકાત રાખવામાં આવ્યા છે.
NRC will cover everybody across India, irrespective of religion; different from Citizenship Amendment Bill: Amit Shah
આ તરફ અમેરિકા આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગે રાષ્ટ્રીય નાગરિક નોંધણી પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરતા મંગળવારે કહ્યું કે આસામમાં લાંબા સમયથી રહેતા આશરે 20 લાખ લોકોને ઝડપથી 20 લાખ લોકો ઝડપથી ક્યાંયના નાગરિક નહીં રહે. સાથે જ આરોપ લગાવાયો કે તેમની નાગરિકતા નિષ્પક્ષ, પારદર્શી અને સુશાસિત પ્રક્રિયા વગર જ સમાપ્ત કરવામાં આવી રહી છે.
HM Amit Shah in Rajya Sabha on NRC: People whose name has not figured in the draft list have the right to go to the Tribunal. Tribunals will be constituted across Assam.If any person doesn't have the money to approach Tribunal, then Assam govt to bear the cost to hire a lawyer pic.twitter.com/Z1hFwLortx
NRC ના ધાર્મિક સ્વતંત્રતા નિહિતાર્થ પર એક રિપોર્ટમાં USCIRF એ જણાવ્યું કે, અદ્યતન સૂચીમાં 19 લાખ લોકોના નામ જ નથી. રિપોર્ટમાં આ વાત પર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને કોઇપણ પ્રકારે આ પ્રક્રિયાનો ઉપયોગ મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે.
HM Amit Shah in Rajya Sabha: The process of National Register of Citizens (NRC) will be carried out across the country. No one, irrespective of religion should be worried, it is just a process to get everyone under the NRC. pic.twitter.com/mpkitRMLR6
રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે જમ્મૂ-કાશ્મીરમાં કોઇપણ પોલિસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યુ જેવી પરિસ્થિતિ નથી. જ્યારે ઇન્ટરનેટ સેવા યોગ્ય સમયે શરૂ કરવામાં આવશે.
સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સવાલનો જવાબ આપતાં કહ્યું કે સ્વાસ્થ્યને લઇને કોઇ સમસ્યા નથી. જો કોઇપણની પાસે કોઇ સુચના છે તો દૂરના વિસ્તાર હોય તો પણ મારો સંપર્ક કરી શકે છે, તેને અવશ્ય મદદ પહોંચાડવામાં આવશે.