ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI) રંજન ગોગોઈએ આસામમાં ચાલી રહેલ નેશનલ રજિસ્ટર ઓફ સિટિજન્સ (NRC) પ્રક્રિયાનો મજબૂતીથી બચાવ કર્યો છે. દિલ્હીમાં આસામ પર એક બુકના વિમોચન સમારોહમાં તેમણે એનઆરસીને લઇને સ્પષ્ટ કર્યું છે કે આ ન તો નવું છે અને ન તો નવીન વિચાર છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ NRC પ્રક્રિયાનો મજબૂતીથી બચાવ કર્યો
સીજેઆઈએ કહ્યું કે, એનઆરસી હવે ભવિષ્ય માટે બેઝ ડૉક્યુમેન્ટ હશે
સીજીઆઈએ કહ્યું કે એનઆરસી ન તો નવું છે કે ન તો નવો વિચાર છે
એનઆરસીનો બચાવ કરતા તેમણે કહ્યું કે આ પહેલા રાજ્યમાં ગેરકાયદે પ્રવાસીઓને લઇને સૌના પોતપોતાના અનુમાન હતા અને તેનાથી ડર, હિંસા અને અરાજકતા વધતી હતી. સીજેઆઈએ કહ્યું કે, એનઆરસી હવે ભવિષ્ય માટે બેઝ ડૉક્યુમેન્ટ હશે.
સીજેઆઈ ગોગોઈની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે જ આસામમાં એનઆરસી પ્રક્રિયાની દેખરેખ કરી છે. સીજેઆઈએ આર્મ ચેયર કૉમેન્ટેટરોની આલોચના પણ કરી. તેમણે કહ્યું કે આ કૉમેન્ટેટરો જમીની હકીકતથી બહુ જ દૂર છે અને બહુ જ વિકૃત ચિત્ર રજૂ કરે છે જેનાથી આસામ અને તેમના વિકાસવાદી એજન્ડાને નુકસાન પહોંચ્યું છે. આસામથી આવનાર
સીજીઆઈએ કહ્યું કે એનઆરસી ન તો નવું છે કે ન તો નવો વિચાર છે. કારણ કે 1951માં એ સામે આવ્યું હતું અને હાલની કાર્યાવાહી 1951ની એનઆરસીને અપડેટ કરવાના જ પ્રયત્નો છે. સીજેઆઈ રંજન ગોગોઈએ આ વાત વકીલ મૃણાલ તાલુકદારની લખેલી પોસ્ટ કૉલોનિયમ આસામ (1947-2019) ના વિમોચનના સમયે કરી હતી.