ઓક્ટોબર મહિનામાં WHOએ દાવો કર્યો હતો કે ભારતમાં બનેલ કફ સીરપ પીવાથી આફ્રિકન દેશ ગામ્બિયામાં 66 બાળકોનું મોત થયું છે. ઇન્ફોસિસનાં સંસ્થાપક એન આર નારાયણમૂર્તિએ આ ઘટના પર ટિપ્પણી કરતાં કહ્યું કે ભારત માટે આ શરમજન્ય વાત છે જો કે તેમણે અન્ય બાબતો માટે પણ ભારત પર નિશાન સાધ્યું હતું.
ઇન્ફોસિસનાં સંસ્થાપક એન આર નારાયણમૂર્તિએ કરી ટિપ્પણી
સીરપથી બાળકોનાં મોત મુદે કરી ટિપ્પણી
કહ્યું ભારત માટે શરમજન્ય વાત છે
ભારતીય કફ સીરપથી ગામ્બિયામાં બાળકોનાં મોતના દાવા પર ઇન્ફોસિસનાં સંસ્થાપક એન આર નારાયણમૂર્તિએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતમાં બનેલ કફ સીરપથાી 66 બાળકોનું મૃત્યુ થવું ભારત માટે ખુબ શરમજનક બાબત છે. નારાયણમૂર્તિએ એ પણ કહ્યું કે તેનાથી ફાર્મા રેગ્યુલેટરી એજન્સીની ઇમેજ પણ ખરાબ થઇ છે.
ભારત માટે શર્મની વાત
ઇન્ફોસિસ પ્રાઇઝ 2022 સમારોહમાં સંબોધન દરમિયાન નારાયણમૂર્તિએ કફ સીરપથી બાળકોનાં મોત પર ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે આ ઘટનથી ભારતને દુનિયાની નજરોમાં શર્મસાર થવું પડ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા 20 વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં ઘણો વિકાસ કર્યો છે પરંતુ ઘણી મુશ્કેલીઓ આપણી સામે ઊભી જ છે.
શિક્ષાની ગુણવત્તા પર ઉઠાવ્યા સવાલો
ઇન્ફોસિસનાં સંસ્થાપકે ભારતની ઉચ્ચ શિક્ષાની ગુણવત્તા પર સવાલો ઉઠાવતાં કહ્યું કે ભારતનું એક પણ શિક્ષણ સંસ્થાન વર્લ્ડ ગ્લોબલ રેન્કિંગ 2022માં ઉમેરાયું નથી. તેમણે કહ્યું કે આપણને વેક્સિન નિર્માણ માટે પણ કોઇ બીજાં વિકસિત દેશો કે ટેકનોલોજી કે રિસર્ચ પર નિર્ભર રહેવું પડે છે. આપણે આજનાં સમય સુધી પણ ડેનગ્યૂ કે ચિકનગુનિયા જેવી બિમારીઓની વેક્સિન શોધી શક્યા નથી કે જેનાથી આપણે છેલ્લાં 70 વર્ષોથી હેરાન થઇ રહ્યાં છીએ.
સફળતાનાં 2 મૂળ મંત્રો
ઇન્ફોસિસ સાયન્સ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી નારાયણમૂર્તિએ કહ્યું કે કોઇપણ પ્રયોગ કે શોધની સફળતા માટે પહેલી જરૂરિયાત પૈસા નથી. જો એવું હોય તો પૂર્વી યુરોપનાં દેશો ગણિતનાં ક્ષેત્રમાં સફળ ન થયાં હોય. શોધમાં સફળતા માટે 2 વસ્તુઓ મહત્વની છે. પહેલી- આપણી સ્કૂલ અને કોલેજની શિક્ષા દુનિયાની વર્તમાન સમસ્યાઓ સાથે જોડાયેલ હોય. બીજી- સફળતા માટે જરૂરી છે કે આપણી શોધ વર્તમાન સમસ્યાઓને વહેલામાં વહેલી દૂર કરવાનો પ્રયત્ન કરે જેનાથી આગળ જઇને તે મોટામાં મોટી સમસ્યાનો ઉપાય શોધી શકે.
WHOએ કર્યું હતું એલર્ટ
WHOએ 5 ઑક્ટોબર 2022નાં એલર્ટ જાહેર કરતાં કહ્યું હતું કે ભારતનાં મેડેન ફાર્માસ્યૂટિકલ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ શરદી-ઉધરસની સીરપ લોકોની મોત કે કિડનીની ગંભીર બિમારી માટે જવાબદાર હોઇ શકે છે. રિપોર્ટ અનુસાર આ સીરપમાં ડાઇથીલીન ગ્લાઇકોલ અને એથીલિન ગ્લાઇકોલની માત્રા વધુ હતી જે માણસનાં શરીર માટે ખતરારૂપ છે.