CPIMના નેતા પ્રકાશ કરાતે દાવો કર્યો છે કે CAA, NPR અને NRC પરસ્પર જોડાયેલા છે. જો NPRની વિરુદ્ધમાં કેરળ અને પશ્ચિમ બંગાળની જેમ 10 અન્ય રાજ્યો પ્રસ્તાવ પાસ કરે તો તે ખતમ થઈ શકે છે.
CAA - NPR કેન્દ્રના વિષય છે, રાજ્યોને અધિકાર નથી
ફક્ત સંસદ પાસે જ આ કાયદાને બનાવવા અને બદલવાનો અધિકાર છે
સુપ્રીમ કોર્ટ પણ CAAને ગેરબંધારણીય જાહેર કરી શકે છે
નાગરિકતા સુધારો અધિનિયમ (CAA), રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) એ આખા દેશમાં હંગામો મચાવ્યો છે. વિપક્ષ, લઘુમતી સંગઠનો, વિદ્યાર્થીઓ, સામાજિક કાર્યકરો મોદી સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. કેરળ સરકારે વિધાનસભામાં સીએએ, એનઆરસી વિરુદ્ધ ઠરાવ પણ પસાર કર્યો હતો અને હવે તમિલનાડુમાં પણ આવી જ માંગ ઉઠાવવામાં આવી રહી છે.
CPIMના નેતા પ્રકાશ કરાતે દાવો કર્યો છે કે CAA, NPR અને NRC પરસ્પર જોડાયેલા છે. જો NPRની વિરુદ્ધમાં કેરળ અને પશ્ચિમ બંગાળની જેમ 10 અન્ય રાજ્યો પ્રસ્તાવ પાસ કરે તો તે ખતમ થઈ શકે છે.
કેન્દ્રની યાદીમાં છે નાગરિકતા, જનગણના અને જનસંખ્યા
નાગરિકત્વ, વસ્તી ગણતરી અને વસ્તીને લગતી બાબતો યુનિયનની સૂચિ એટલે કે સંઘની સૂચિમાં મૂકવામાં આવી છે. આનો અર્થ એ છે કે આ મુદ્દાઓ પર કાયદો બનાવવાનો અધિકાર ફક્ત સંસદને જ છે. રાજ્ય સરકારોને કેન્દ્રીય સૂચિમાં સમાવિષ્ટ વિષયો પર કાયદા બનાવવાનો કોઈ અધિકાર નથી. રાજ્ય વિધાનસભાઓને ફક્ત રાજ્યની સૂચિના વિષયો પર કાયદો બનાવવાનો અધિકાર છે.
આવી છે બંધારણની કલમ
બંધારણની કલમ 245 અને 246 માં કાયદા બનાવવા સંસદની શક્તિનો પણ વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય બંધારણના આર્ટિકલ 11 માં પણ સ્પષ્ટ લખ્યું છે કે ભારતની સંસદને જ નાગરિકત્વ અંગેના કાયદા બનાવવાનો અધિકાર છે. દેશની સંસદ દ્વારા સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) પસાર કરવામાં આવ્યો છે. આમાં, કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા કોઈપણ પ્રકારની પ્રતિબંધ લાદી શકે નહીં. બંધારણમાં સંસદ દ્વારા પસાર કરાયેલા આ કાયદાને રોકવાનો રાજ્યના ધારાસભ્યોને કોઈ અધિકાર આપવામાં આવ્યો નથી. જો કેરળ અથવા અન્ય કોઈ રાજ્ય નાગરિકતા સુધારો કાયદા સામે ઠરાવ લાવે છે, તો તે ગેરબંધારણીય છે.
CAA - NPRને રોકવાના શું છે રસ્તા?
ફક્ત સંસદમાં પ્રસ્તાવ લાવીને જ નાગરિકતા સંશોધન એક્ટમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન લાવી શકાય છે. આ સાથે જ જો સુપ્રીમ કોર્ટ નાગરિકતા સંશોધન કાયદાને ગેરકાયદેસર જાહેર કરે છે તો પણ આ કાયદો ખતમ થઈ શકે છે. સુપ્રીમ કોર્ટ પણ આ કાયદા વિરુદ્ધમાં ત્યારે જ નિર્ણય આપી શકશે જ્યારે તે સંવિધાન કે મૌલિક અઘિકારોની વિરુદ્ધમાં હશે. આ સિવાય પણ નાગરિકતા કાયદાને ખતમ કરવાનો કે તેમાં બદલાવ લાવવાનો કોઈ વિકલ્પ નથી. રાજ્યોને નાગરિકતા સંશોધન અધિનિયમ લાગૂ કરવાનો જ રહેશે.