મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યમાં NPR લાગૂ કરવાની મંજૂરી આપી દીધી છે. એક મળતાં અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં 1 મેથી NPR ની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 1 મેથી લઇને 15 જૂન સુધીમાં NPR લાગૂ કરવાની અધિસૂચના જારી કરેલી છે.
મહારાષ્ટ્રમાં 1 મેથી શરૂ થશે NPRની પ્રક્રિયા
1 લી મેથી NPR પ્રક્રિયા શરૂ કરવામાં આવશે
રજિસ્ટ્રાર જનરલ એન્ડ સેંસસ કમિશનર (RGCC) એ મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓને NPR અને જનગણનાને લઇને ચર્ચા કરી છે. જો કે એવુ માનવામાં આવી રહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા જલ્દી જ આ સંબંધમાં એક નોટિફિકેશન જારી કરવામાં આવી શકે છે. મહારાષ્ટ્રમાં NPR પ્રક્રિયા અંદાજે 6 અઠવાડિયામાં પુરી થવાની આશા છે.
રાજ્ય સરકારે જિલ્લાધિકારીઓને અધ્યાપકો અને સ્વાસ્થ્ય વિભાગના કર્મચારીઓને એકસાથે કરી અને તેમને જનગણના સંબંધી ટ્રેનિંગ આપવાનો નિર્દેશ કર્યો છે. જે અધિકારીઓ આ પ્રક્રિયાનો ભાગ હશે અને સુપરવિઝન કરશે તેમને સંપૂર્ણ ટ્રેનિંગ આપવામાં આવશે. જેમાં જણાવામાં આવશે કે કર્મચારીઓને NPR માટે ડેટા કેવી રીતે ભેગો કરવો.
અધિકારીએ જણાવ્યું કે સરકારી કર્મચારી 1 મેથી લઇને 15 જૂન વચ્ચે NPR ની જાણકારી એકત્રિત કરશે. જ્યારે આવતા વર્ષે 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરીની વચ્ચે વસ્તી ગણતરી કરવામાં આવશે. એક મળતી માહિતી મુજબ આ કામ માટે મહારાષ્ટ્ર સરકારે 3.34 લાખ કર્મચારીઓની નિયુક્તિ કરી છે.