ધારાસભ્ય તિરંગ અબો અબોહે એનપીપીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી હતી. નેશનલ સોશલિસ્ટ કાઉન્સીલ ઓફ નાગાલેન્ડનાં ઉગ્રવાદીઓ પર આ હત્યાકાંડને અંજામ આપવાનો આરોપ લગાવ્યો છે.
અરૂણાચલ પ્રદેશમાં ઉગ્રવાદીઓએ એક મોટા હુમલાને અંજામ આપ્યો છે. તિરપ જિલ્લામાં ઉગ્રવાદીઓએ હુમલો કરીને એનસીપી ધારાસભ્ય સહિત 11 લોકોની હત્યા કરી દીધી છે. આ હુમલામાં ધારાસભ્યનાં સુરક્ષા અધિકારીને પણ ગોળી વાગી છે અને સારવાર માટે તેઓને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે કે જ્યાં તેમની હાલત ગંભીર બની ગઇ છે.
The NPP is extremely shocked and saddened by the news of the death of its MLA Shri Tirong Aboh (Arunachal Pradesh) and his family. We condemn the brutal attack and urge @rajnathsingh and @PMOIndia to take action against those responsible for such attack.
તાજેતરમાં જ ધારાસભ્ય તિરંગ અબો અબોહે એનપીપીની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતાં. નેશનલ સોશલિસ્ટ કાઉન્સીલ ઓફ નાગાલેન્ડનાં આતંકીઓ પર આ હત્યાકાંડને અંજામ આપવાનો આરોપ લાગ્યો છે.
I'm shocked and saddened by the brutal attack and tragic killing of MLA Shri Tirong Aboh of Arunachal Pradesh, his family including 11 people. Strongest possible action will be taken against those responsible for such dastardly attack.
— Chowkidar Kiren Rijiju (@KirenRijiju) May 21, 2019
આ ઘટના પર મેઘાલયનાં સીએમ કોનાર્ડ સંગમાએ ટ્વિટ કરીને દુઃખ જણાવ્યું કે, એનપીપી આ ઘટનાથી ખૂબ જ પરેશાન છે અને આ સાંભળીને ખૂબ જ દુઃખ થયું કે આ હુમલામાં ધારાસભ્ય તિરંગ અબો અબોહનું મોત થઇ ગયું. ધારાસભ્ય પર થયેલ આ હુમલાની આકરી નિંદા કરુ છું. ત્યારે બીજી બાજુ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજીજુએ પણ આ ઘટના પર ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.