એનપીએ અને દેવાનું ભારણ વધતા ભવિષ્યમાં ભારતીય બેંકિંગ ક્ષેત્ર પર સંકટ ઉભુ કરી શકે છે
ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થામાં તેજી જોવા મળી
આ ભવિષ્યમાં ભારતીય બેંકિંગ ક્ષેત્ર પર સંકટ ઉભુ કરી શકે
જોખમના ડરથી બેંક સરળતાથી લોન નથી આપી રહી
આ ભવિષ્યમાં ભારતીય બેંકિંગ ક્ષેત્ર પર સંકટ ઉભુ કરી શકે
એનપીએ અને દેવાનું ભારણ વધતા ભવિષ્યમાં ભારતીય બેંકિંગ ક્ષેત્ર પર સંકટ ઉભુ કરી શકે છે. ફિચ રેટિંગે સોમવારે કહ્યું કે પહેલાથી મુશ્કેલીઓથી પસાર થઈ રહેલા નાણા ક્ષેત્રને લોકડાઉનના કારણે ગત વર્ષે હજું મોટો ફટકો લાગશે.
જોખમના ડરથી બેંક સરળતાથી લોન નથી આપી રહી
આ ઉપરાંત કોરોના મહામારીથી ઝઝૂંબી રહેલી અર્થવ્યવસ્થાને સ્પીડ આપવા માટે શરુ કરવામાં આવેલી સરળ લોન આપવાની નીતિમાં બદલાવ આવી રહ્યો છે. જોખમના ડરથી બેંક સરળતાથી લોન નથી આપી રહી. જોકે ક્વાર્ટર રિપોર્ટથી ખબર પડે છે કે નાણા વિસ્તાર સાથે જોડાયેલી કંપનીઓના ફાયદા અને સંપત્તિની ગુણવત્તામાં કંઈક ફેરફાર થયો છે.
બેંકો પર આગળ જઈને કોરોનાના કારણે નાના વ્યવસાયો પર અસર પડશે
ફિચનુ કહેવું છે કે હાલમાં આવેલા સુધારામાં મહામારીના કારણે નાણા ક્ષેત્ર પર મોટું દબાણ એક ચહેરો માત્ર છે. વાસ્તવિકમાં પરિસ્થિતિ આનાથી અલગ છે. જે જણાવે છે કે બેંકો પર આગળ જઈને કોરોનાના કારણે નાના વ્યવસાયો પર અસર પડશે. અને વધતી બેરોજગારીઓની અસર જોવા મળશે. આરબીઆઈએ પણ જાન્યુઆરીમાં ચેતવણી આપી છે કે સૌથી વધારે દબાણ વાળી સ્થિતિમાં ભારતીય બેંકિંગ ક્ષેત્ર પર બેડ લોન બે ગણી એટલે કે 14.8 ટકાની આસપાસ સુધી જઈ શકે છે.
લોન આપવાના દબાણ પર સંપત્તિની ગુણવત્તા પર અસર
રેટિંગ એજન્સીએ નોટમાં કહ્યું કે અસંગઠિત અર્થવ્યવસ્થા તથા નાના વ્યાવસાય પર કોરોનાની અસર, ઉચ્ચ બેરોજગારીના દર અને ઘટતા ખાનગી ઉપભોગની બેંકોની બેલેન્સશીટ પર વાસ્તવિક અસર હજું સુધી જોવા નથી મળ્યો. પરંતુ આગળ આની સંપૂર્ણ અસર જોવા મળશે.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થામાં તેજી જોવા મળી
ફિચનું કહેવું છે કે ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થવ્યવસ્થામાં તેજી જોવા મળી છે. પરંતુ ઘણા ક્ષેત્રે પોતાની ક્ષમતાથી ઓછા સ્તર પર કામ કરી રહી છે. અર્થવ્યવસ્થાના કેટલાક સંકેતો પણ રિટેલ ગ્રાહકો પર દબાણ તરફ ઈશારો કરી રહ્યા છે. રિટેલ ગ્રાહકો અને દબાણથી પસાર થઈ રહેલા નાના મધ્યમ ઉદ્યોગોને લોન આપવાના દબાણથી બેંકોની સંપત્તિ ગુણવત્તા પર અને દબાણ જોવા મળી રહ્યું છે.
સરકારી બેંકો પર વધારે ખરતો, ખાનગી બેંકોમાં વૃદ્ધિના સંકેત
ફિચે કહ્યું કે મર્યાદિત બફરની જગ્યાએ સરકારી બેંકો કોરોના સાથે જોડાયેલા દબાણથી વધારે સરળ શિકાર થઈ શકે છે. જો કે ખાનગી બેંકોને તેટલું સંકટ નથી. રિપોર્ટ મુજબ સરકારે 2021-22માં સરકારી બેંકોમાં 5.5 અરબ ડોલર પૂંજી નાંખવાનો નિર્ણય લીધો છે. જે પુરતુ નથી. બૈંકિંગ વિસ્તારમાં દબાણથી ઉભરવા માટે 15થી 38 અરબ ડોલક પૂંજીની જરુરત રહેશે. ફિચના જણાવ્યાનુંસાર 2021-22માં સરકારી બેંકોની સરખામણીએ ખાનગી બેંકોમાં વધારે વૃદ્ધિ જોવા મળશે.