ગયા મહિને મહારાષ્ટ્ર અને ગઈકાલે ઝારખંડની વિધાનસભાના પરિણામો આવ્યા બંનેમાં ભાજપ સત્તાથી દૂર રહ્યું. જોકે આમ જોવા જઈએ તો છેલ્લા એક વર્ષથી ભાજપ 7 રાજ્યોમાં સત્તા ગુમાવી ચુક્યું છે. સંઘ અને તેની નીતિઓથી દેશના 71% વિસ્તારમાં ભગવો લહેરાવનાર ભાજપ એક જ વર્ષમાં માત્ર 35 %માં કેમ બચ્યું છે. શું છે આ પાછળનું મુખ્ય કારણ?
ભાજપે સંઘનીતિઓ છોડી એટલે રાજ્યોની વિધાનસભાઓમાં હારી રહ્યા છે?
ભાજપમાં આવેલી નવી વિચારધારાના કારણે એક વર્ષમાં 7 રાજ્યો હાર્યું?
સંઘની શુદ્ધ સંગઠન નીતિ હવે આજની ભાજપમાં દેખાતી જ નથી
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ( RSS)ની રાષ્ટ્રસેવાની નીતિઓથી ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની રચના થઈ હતી. સંઘ નિશ્ચિત સ્વયંસેવકોને રાજનીતિમાં મોકલી રાષ્ટ્રસેવાના કાર્યો કરતું આવ્યું છે. અટલ બિહારી વાજપેઈ હોય કે નરેન્દ્ર મોદી હોય સંઘ અને તેની નીતિઓથી ક્યારેય બહાર આવી ચૂંટણી પણ લડ્યા નથી અને સંગઠનની પણ રચના કરી નથી. પરંતુ ગત્ત પાંચ વર્ષમાં ભાજપની નીતિઓ અને ચૂંટણી લડવાની સ્ટાઈલ કંઈક બદલાઈ છે. શું આ બદલાયેલી નીતિઓથી ભાજપ હારી રહ્યું છે.
સંઘની રાજનીતિ મુદ્દેની સ્પષ્ટતા અને નીતિઓ શું છે
સંઘએ વ્યવસ્થા અને સુદ્રઢ આયોજનમાં માનતું સંગઠન છે. અહીં હંમેશા આદેશ અને આજ્ઞાપાલનની નીતિથી દેશ અને વિશ્વમાં વ્યવસ્થા ચલાવી રહ્યું છે. ભાજપ પણ આજ નીતિથી અન્ય કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓથી અલગ હતું. આ ઉપરાંત 2014ની લોકસભા ચૂંટણી લઈ લો કે તે પહેલાંનો નરેન્દ્ર ભાઈનો ગુજરાત કાર્યકાળ લઈ લો હંમેશા ભાજપે સુદ્રઢ આયોજન શક્તિ અને કાર્યકર્તાઓની સંગઠન શક્તિથી બધી જ ચૂંટણીઓ જતી છે. પરંતુ 2014માં ભાજપ કેન્દ્રમાં સત્તા પર આવ્યું અને જુલાઈ 2019થી સમગ્ર ભાજપ સંગઠનમાં ખુબ મોટા ફેરફારો થયા અને સંઘની બધી જ નીતિઓ નેવે મુકી અર્થાત્ કંઈક નવી નીતિઓના નામે ભાજપ સંઘનીતિથી અલગ થયું છે.
જુલાઈ 2014 બાદ ભાજપના સંગઠનમાં આવેલી નવી વિચારધારાથી વિજયરથ ધીમો પડ્યો
2014 નરેન્દ્રભાઈના વડપણ વાળી કેન્દ્રમાં NDA સરકાર બની અને આ સાથે જુલાઈ 2014માં ભાજપના રાષ્ટ્રીય સંગઠનથી રાજ્યોના તમામ સંગઠનોમાં ધરખમ ફેરફારો થયા. ત્યારથી લઈ આજ દીન સુધીમાં ભાજપના મોવડીમંડળે સંઘની નીતિઓ અને સંગઠન શક્તિને નરજઅંદાજ કરી કોરાણે મુકી દીધી છે. અને નિશ્ચિત લોકોનાની વિચારધારાથી ભાજપ ચાલી રહ્યું છે. જોકે સંઘના વરિષ્ઠ સ્વયંસેવકોનું દ્રઢ પણે માનવું છે કે જો ભાજપ સંઘનીતિઓથી દૂર જશે તો પડશે અને સત્તા પણ ગુમાવશે. જોકે હાલમાં જ ઝારખંડ હાર્યું અને છેલ્લા એક વર્ષમાં 7 ભાજપ સાશિત રાજ્યોમાં સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.
2017માં દેશના 71% વિસ્તારમાં ભાજપનું રાજ હતું આજે માત્ર 35%માં બચ્યું
2017 સુધી દેશના 71 % વિસ્તારમાં ભાજપના પ્રભુત્વ અથવા NDAની સરકારો હતી. જ્યારે આજે માત્ર 35 % વિસ્તારોમાં જ ભાજપનું રાજ બચ્યું છે. આ સંઘનીતિઓથી દૂર જવાની હાર છે કે નિશ્ચિત લોકો દ્વારા ભાજપમાં આવેલી નવી વિચારધારાની હાર છે એ તો હવે ભાજપનું મવડી મંડળ જ જાણે. ડિસેમ્બર 2017 સુધી 20 રાજ્યોમાં ભાજપના નેતૃત્વ વાળી સરકાર હતી જ્યારે ડિસેમ્બર 2019માં હવે 13 રાજ્યોમાં ભાજપ સરકાર બચી છે.