રેલવે સ્ટેશન પર ઘણી બધી સુવિધાઓ શરુ કરવામાં આવશે, ફ્લાઈટ ટિકિટનું બુકિંગ જેમાંની એક સુવિધા છે. જાણો વિગતવાર
રેલવે સ્ટેશન પર બુક થઇ શકશે ફ્લાઈટ ટિકિટ
યાત્રીઓની સુવિધા પર અપાઈ રહ્યું છે ધ્યાન
200 સ્ટેશન પર શરુ થશે સુવિધા
રેલવે સ્ટેશન પર મળશે હવે ઘણી સુવિધાઓ
તમે અત્યાર સુધી રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા કે ટિકિટ બૂક કરાવવા માટે જ આવો છો. પરંતુ હવે દેશનાં રેલવે સ્ટેશનો પર હવાઈ જહાજની ટિકિટ બૂક પણ થઇ શકશે. આ ઉપરાંત સ્ટેશન પરિસરમાં જ પાન તથા આધાર કાર્ડ બનાવવાનું કામ પણ થશે. આટલું જ નહિ, અહીંથી ઇન્કમ ટેક્સ રિટર્ન પણ ફાઈલ કરાવી શકાશે.
યાત્રીઓની સુવિધા પર અપાઈ રહ્યું છે ધ્યાન
હવે દેશના રેલવે સ્ટેશનો પર આવવા જવાવાળા યાત્રોની બીજી મહત્વપૂર્ણ સુવિધાઓ પર પણ ધ્યાન અપાશે. રેલવે પ્રશાશન તરફથી સતત યાત્રીઓની સુવિધા પર ધ્યાન અપાઈ રહ્યું છે. આ ક્રમમાં રેલવેની સંસ્થા રેલટેલ હવે રેલવે સ્ટેશનો પર રેલવાયર સાથે કિયોસ્ક લગાવવાનું પ્લાનિંગ છે.
ફ્લાઈટ ટિકિટ પણ કરાવી શકશો બુક
રેલટેલ તરફથી ખુલવાવાળા કિયોસ્કનાં માધ્યમથી યાત્ર ટ્રેનની ટિકિટ બુક કરાવવાની સાથે સાથે ફ્લાઈટ ટિકિટ પણ બુક કરાવી શકશે. આ સુવિધાને અત્યારે ઝાંસીનાં વીરાંગના લક્ષ્મીબાઈ સ્ટેશન પર શરુ કરવાનું પ્લાનિંગ છે. આવવાવાળા દિવસોમાં રેલવે સ્ટેશન પર લાગવાવાળા કિયોસ્કમાં હજુ વધારે સુવિધા શરુ કરવામાં આવશે.
200 સ્ટેશન પર શરુ થશે સુવિધા
વારાણસી તથા પ્રયાગરાજ રેલવે સ્ટેશન પર ઉપરોક્ત સુવિધાઓ લાગુ કરવાવાળા કિયોસ્કની શરૂઆત પહેલા જ થઇ ચુકી છે. આ સુવિધાને આવવાવાળા સમયમાં પૂર્વોત્તર રેલવેનાં 200 સ્ટેશન પર શરુ કરવામાં આવશે. રેલવે અધિકારીઓ તરફથી જણાવવામાં આવ્યું છે કે રેલ પ્રશાસન દ્વારા પેસેંજર ફેસિલીટીમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે.