આધારકાર્ડને હવે તમારે તમારી જોડે નહી રાખવું પડે. જેમા માટે તમારે UIDAI વેબસાઈટ પર વર્ચ્યુઅલ આઈડીથી જનરેટ કરવું પડશે. આઈડી જનરેટ કર્યા બાદ હંમેશા આધારકાર્ડને તમે તમારા ફોનમાં રાખી શકશો.
હવે આધાર કાર્ડને હમેશાં માટે રાખી શકો છો તમારા ફોનમાં
વર્ચ્યુઅલ આઈડીનો ઉપયોગ થાય છે આધાર કાર્ડના વિકલ્પ તરીકે
UIDAI વેબાઈટ પરથી વર્ચ્યુઅલ આઈડીને કરી શકાય છે જનરેટ
ઘણા લોકો તેમનું આધાર કાર્ડ સાથે જ રાખે છે. પરંતુ જો તમે ઈચ્છો તો આધાર કાર્ડ હમેશાં માટે તમારા ફોનમાં પણ રાખી શકો છો. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ (UIDAI) આધાર કાર્ડની વર્ચ્યુઅલ આઈડી જાહેર કરે છે. આ વર્ચુઅલ આઈડીને UIDAI વેબાઈટથી જનરેટ કરી શકાય છે. વર્ચુઅલ આઈડી શું છે અને કેવી રીતે જનરેટ કરી શકાય છે તેની માહિતી નીચે મુજાબ છે.
શું છે આધાર વર્ચ્યુઅલ આઈડી ?
વર્ચ્યુઅલ આઈડી 16 ડિજિટનો નંબર હોય છે.
આ નંબરનો ઉપયોગ આધાર કાર્ડના વિકલ્પ તરીકે થઈ શકે છે.
આ નંબર બેન્કિંગ સહિત તમામ પ્રકારની સર્વિસિસ માટે માન્ય ગણાય છે.
જોકે આ નંબરની વેલીડીટી 1 દિવસ ગણાય છે. પરંતુ જ્યાં સુધી યુઝર બીજી વર્ચુઅલ આઈડી ક્રિએટ ન કરી લે ત્યાં સુધી વર્ચુઅલ આઈડી નંબર વેલીડ રહેશે.
આધાર વર્ચુઅલ આઈડની વેલીડિટીને લઈ હજી સુધી કોઈ ટાઈમલિમિટ નક્કી કરવામાં આવી નથી.
આવી રીતે જનરેટ કરી શકાય છે આધાર વર્ચ્યુઅલ આઈડી
સૌપ્રથમ તમારે UIDAIની આધિકારીક વેબસાઇટ https://www.uidai.gov.in. ની મુલાકાત લેવાની રહેશે.
ત્યારબાદ તમારે લૉગિન કરીને Aadhar services ઓપ્શન પર ક્લિક કરવું પડશે. ત્યાં તમારે Virtual ID ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.