આ સંસારમાં આવનારી દરેક વ્યકિતનું મૃત્યુ નિશ્ચિત છે. કોઇની ઉંમર ઓછી તો કોઇની વધારે હોય છે. જ્યોતિષશાસ્ત્રથી આપણે ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાન વિશે સારી રીતે જાણી શકીએ છીએ આ સાથે કઇ વ્યકિતનું આયુષ્ય કેટલું હશે તેનો પણ અંદાજો લગાવી શકાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જન્મ કુંડળીના આઠમા ઘરમાં આયુષ્ય જીવન અને મૃત્યુ સંબંધિત માહિતી આપવામાં આવે છે. કહેવાનો અર્થ એ છે કે વ્યકિતનો જીવનકાળ કેટલો છે તો વાત કુંડળીના ભાવને જોઇને સારી રીતે જાણી શકાય છે.
જેમની કુંડળીમાં લગ્નેશ અને અષ્ટમેસ બંને એક સાથે છઠ્ઠા સ્થાનમાં શનિ રાહુ અને કેતુની સાથે હોય તો તેમની દશા-અંદર્દશામાં શસ્ત્ર અને ચોર ઘાતથી મૃત્યુ થઇ શકે છે. આવું જ્યોતિષ શાસ્ત્ર કહે છે. કુંડળીમાં રાહુ ત્રીજા છઠ્ઠા કે અગિયારમાં ભાવમાં હોય તો તે વ્યકિતને દીર્ધાયુ બનાવે છે.
જેમની કુંડળીમાં આઠમા ઘરમાં સૂર્ય હોય છે એવા લોકોનું મૃત્યુ અગ્નિ બિમારી મૂત્ર સંબંધિત તકલીફથી થવાની આશંકા બની રહે છે અને સાથે જ વ્યકિતનો અંત કેટલો અજીક છે તે વિશે જાણી શકાય છે.
કુંડળીના છઠ્ઠા સ્થાનમાં ચતુર્થેશ શનિની સાથે હોય તો એવા લોકોનું મૃત્યુ વાહન દુર્ઘટનાથી થવાની શક્યતા રહે છે. આવી વ્યકિતને વાહન સંભાળીને ચલાવવું. જીવન-મરણ ઇશ્વરના હાથમાં છે કુંડળીના ભાવ માત્ર સંભાવનાઓ દર્શાવે છે.
કુંડળીના આઠમા ભાવમાં જો કોઇ ગ્રહ ના હોય તો ઉત્તમ છે જો શુક્ર હોય તો સારું છે પણ અશુભ ગ્રહ આઠમા સ્થાનમાં હોવાથી આયુષ્યમાં ઘટાડો થાય છે જ્યારે સ્ત્રીના આઠમા ભાવમાં પાપ ગ્રહ વિધવાકારક હોય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં મંગળગ્રહને દુર્ઘટનાકારક માનવામાં આવે છે. જો આઠમા ઘરમાં મંગળ છે તો વ્યકિતનું મૃત્યુ આગ દુર્ઘટના ગંભીર ઇજા વાહન અકસ્માત વગેરેની શક્યતા છે. માનવામાં આવે છે કે જ્યારે વ્યકિતનો ભ્રમ દરેક જગ્યાએ દેખાય તો તેનો અર્થ છે કે મૃત્યુ નજીક છે.
જેમની કુંડળીમાં ગુરુ આઠમા ઘરમાં હોય છે તે વ્યકિતનુ મૃત્યુ હૃદય રોગ કિડની દુર્બળતાથી થવાની સંભાવના રહેલી છે. જ્યારે બુધના હોવાથી નસોમાં નબળાઇ અપચો લકવાથી મૃત્યુ થઇ શકે છે.