નાણાંપ્રધાન અરૂણ જેટલીએ હાલમાં જ એક પોર્ટલ લોન્ચ કર્યુ છે. જે હેઠળ હવે નાના કારોબારીઓને એક કલાકથી પણ ઓછા સમયમાં 1 કરોડ સુધીની લોન મળી જશે. નાણાંપ્રધાન અરૂણ જેટલીએ આ વચન આપ્યું છે કે બેંક કારોબારીઓને 1 કલાકમાં લોન આપી દેશે અને તેના માટે કારોબારીઓએ બેંક સુધી લાંબુ થવાની જરૂર પડશે નહીં. વેપારીઓને ઘર બેઠા 1 કલાકમાં 1 કરોડ સુધીની લોન મળી જશે.
8 દિવસમાં મળશે લોન:
આ psbloansin59minutes.com ડિજીટલ પ્લેટફોર્મ પરથી તમને 8 દિવસની અંદર લોન મળી જશે. જો કોઈ વ્યક્તિ આ પોર્ટલ પરથી લોન લેવા ઈચ્છે છે તો તેણે પોતાની જીએસટીની વિસ્તૃત જાણકારી અને બેંક સ્ટેટમેન્ટ આ પોર્ટલ પર સબમિટ કરવુ પડશે.
આ બેંકો પાસેથી લઈ શકો છો લોન:
દસ્તાવેજ અપલોડ કર્યા બાદ બેંક મંત્રાલય આવકવેરા વિભાગ તેની તપાસ કરશે. જો દસ્તાવેજ યોગ્ય પુરવાર થશે તો આગામી એક અઠવાડિયામાં લોનની રકમ તમારા ખાતામાં પહોંચી જશે. જોકે તેમાં ફક્ત વર્કિગ ડેજને સામેલ કરાશે. કદાચ આ પ્રથમ એવી તક છે જ્યાં સરકારી બેંકો એમએસએમઈ સેક્ટરને લોન આપવા માટે સાથે આવી છે. તેમાં SIDBI અને સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા બેંક ઑફ વડોદરા પંજાબ નેશનલ બેંક ઈન્ડિયન બેંક અને વિજયા બેંક પણ સામેલ છે. સરકારને આશા છે કે આવનારા સમયમાં આ પોર્ટલથી ઘણી અન્ય બેંકો પણ જોડાશે.