ગુજરાત સહિત આખા દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, તમામ પક્ષો વચ્ચે ભારે રસાકસીનો માહોલ જામ્યો છે. તો છેલ્લા એક બે દિવસથી ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે વિવાદાસ્પદ ટિપ્પણીઓ શરૂ કરવામાં આવી છે. જો કે આ બધાની વચ્ચે પક્ષ પલટું નેતાઓ પણ ધ્યાન ખેંચી રહ્યાં છે. જેમાં મહેસાણામાંથી જાણીતા પાટીદાર નેતા કિરીટ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે.
મહેસાણા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. મહેસાણા કોંગ્રેસના આગેવાન કિરીટ પટેલે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. ભાજપનો કેસરિયો ધારણ કરતાની સાથે જ કિરીટ પટેલ મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શારદાબેન પટેલના પ્રયારમાં પણ જોવા મળ્યાં હતા.
મહત્વનું છે કે કોંગ્રેસ તરફથી કિરીટ પટેલને ટિકિટ ન મળતા તેઓ કોંગ્રેસથી નારાજ થયા હતા અને અપક્ષ ચૂંટણી લડ્યાં હતા. એટલું જ નહીં ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી પણ કિરીટ પટેલ ચૂંટણી લડી ચુક્યાં છે. જો કે લોકસભા પહેલા જ કડવા પાટીદાર સમાજના અગ્રણી ગણાતા કિરીટ પટેલ ભાજપનો કેસરિયો કરતા કોંગ્રેસને ફટકો પડી શકે છે.
તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી 4 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. પક્ષપલ્ટું કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 3 નેતાઓને પણ ભાજપમાં મોટા પદ આપવામાં આવ્યા હતા. ત્યારે હાલ એક મોટો અહેવાલ સામે રહ્યા છે. ગુજરાતમાં 4 ધારાસભ્યો રાજીનામા આપી દીધા બાદ હજી પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામું આપવાની ફિરાકમાં દેખાઇ રહ્યા છે.
જ્યારે સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે, કોંગ્રેસના 5 જેટલા ધારાસભ્યો હજુ પણ રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ શકે છે. સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે, આગામી 18 તારીખ સુધી કોંગ્રેસ તૂટવાનો સિલસિલો યથાવત રહી શકે છે. લોકસભાની 7 બેઠકો સેટ કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે,