બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Politics / Now this BJP MP has got angry over Adani, said why don't they repay the loans of banks ...
Nirav
Last Updated: 05:23 PM, 16 January 2021
ADVERTISEMENT
સુબ્રમણ્યમ સ્વામી એ બેંકોની વધતી જતી એનપીએ અને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની બેંકોની પ્રત્યે વધતી જતી દેણદારીને લઈને આકરા પ્રહારો કર્યા હતા અને સવાલો ઉઠાવ્યા હતા. ખાસ વાત એ છે કે તેમણે અદાણી પર કટાક્ષ પણ કર્યો હતો જેમાં કહ્યું હતું કે તેમની સંપત્તિ દ્વારા તેઓ તમામ બેંકોને ખરીદવાની ક્ષમતા ધરાવે છે, તેમ છતાં બેંકોની રકમ પરત કરવાની તેમની કોઈ ઈચ્છા જ નથી.
ADVERTISEMENT
4.5 લાખ કરોડ રૂપિયા બાકી હોવાનો દાવો
ભાજપના વરિષ્ઠ નેતાએ તેના ટ્વીટમાં લખ્યું હતું કે ટ્રેપ આર્ટિસ્ટ અદાણી પર બેંકોની એનપીએના રૂપમાં 4.5 લાખ કરોડ રૂપિયા હજુ બાકી છે, અને જો હું ક્યાંક ખોટો પણ છું તો મારી ભૂલ સુધારો, પરંતુ 2016થી દર બે વર્ષે અદાણીની સંપત્તિ ડબલ થઇ રહી છે તો પછી તેઓ કેમ બેંકોની રકમ ચૂકવી નથી દેતા? બની શકે છે કે જે 6 એરપોર્ટ તેમણે ખરીદ્યાં છે, જલ્દીથી જ જે રકમ મળશે, તેનાથી તેઓ બધી બેંકોને પણ ખરીદી લેશે.
ADVERTISEMENT
મહત્વનું છે કે ખેડૂત આંદોલનને લઈને અદાણી અને અંબાણીની કંપનીઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રોલ થઇ રહી છે, બંને એ મીડિયામાં આ વાતને લઈને સ્પષ્ટતા પણ આપી છે, છતાં ય જે રીતે બેંકોની એનપીએ વધતી જઈ રહી છે, તે દેશમાં એક મોટા આર્થિક સંકટની તરફે ઈશારો કરે છે, અને સરકાર તેને મેનેજ કરવા માટે બેંકોના મર્જર અને એકીકરણમાં પડી છે, જો કે વિપક્ષ લગાતાર સરકારની દાનત પર સવાલો ઉભા કરી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.