ગયા વર્ષે નવેમ્બરમાં શિવસેનાએ NDA છોડ્યા બાદ અરવિંદ સાવંતે મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું; સપ્ટેમ્બરમાં શિરોમણી અકાલી દળ ની હરસિમરત કૌર બાદલે પણ રાજીનામું આપ્યું હતું, અને હવે LJP ના વરિષ્ઠ નેતા રામવિલાસ પાસવાન ના નિધન પછી હાલની મોદી કેબિનેટમાં રહેલા બધા જ પ્રધાનો ભાજપ ગોત્રના છે, અન્ય સહયોગી પાર્ટી માંથી હવે કોઈ પણ વ્યક્તિ કેબિનેટ કક્ષાના પ્રધાન પદે નથી.
કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું થયું છે નિધન
મોદી કેબિનેટમાં NDA ના સાથી પક્ષથી તેઓ એકમાત્ર પ્રધાન હતા
હાલના બધા કેબિનેટ મંત્રીઓ ભાજપ પક્ષના જ છે
ગ્રાહક બાબતો અને ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન રામ વિલાસ પાસવાન ના અવસાન પછી, મોદી સરકાર ની કેબિનેટમાં હવે કોઈ સહયોગી પાર્ટીઓના કોઈ પ્રધાન નથી. મંત્રી પરિષદમાં એક જ રાજ્ય પ્રધાન, RPI (એ) ના રામદાસ આઠવલે છે. તેઓ સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રધાન છે.
શિવસેના અને શિરોમણી અકાલી દળ ના નેતાઓએ આપ્યું રાજીનામું
શિવસેના એ ગયા વર્ષે નવેમ્બરમાં NDA છોડી દીધું હતું. ત્યારબાદ અરવિંદ સાવંતે કેબિનેટમાં ભારે ઉદ્યોગ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ વર્ષે સપ્ટેમ્બરમાં શિરોમણિ અકાલી દળની હરસિમરત કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.
NDA માં એક ડઝનથી વધુ પક્ષો છે પરંતુ JDU જેવી મોટી પાર્ટીનો સમાવેશ કેબિનેટ માં નથી. રામવિલાસ પાસવાન બે મહત્વપૂર્ણ કેબિનેટ સમિતિના સભ્ય પણ હતા. પાસવાન રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ અને સંસદીય બાબતોની કેબિનેટ સમિતિના સભ્ય હતા.
LJP નેતા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનનું નિધન થયું
લોક જનશક્તિ પાર્ટી LJP ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન નું ગુરુવારે હોસ્પિટલમાં નિધન થયું છે. તે છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. પાસવાનની તાજેતરમાં હાર્ટ સર્જરી કરાઈ હતી. તે 74 વર્ષના હતા.
તેમના પુત્ર ચિરાગ પાસવાન એ એક ટ્વિટમાં પિતાના મૃત્યુની માહિતી આપી હતી. તેણે લખ્યું, "પાપા .... હવે તમે આ દુનિયામાં નથી પણ મને ખબર છે કે તમે હંમેશાં જ્યાં હો ત્યાં રહો છો. મિસ યુ પાપા. '' રામવિલાસ પાસવાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી NDA સરકારમાં ગ્રાહક બાબતો અને ખાદ્ય અને નાગરિક પુરવઠા પ્રધાન હતા.
ભારતના ટોચના રાજકારણીઓમાં પાસવાનનું નામ
5 જુલાઈ, 1946 ના રોજ ખગેરિયા જિલ્લાના શાહરાબાનીના દલિત પરિવારમાં જન્મેલા રામવિલાસ પાસવાન ની ગણતરી માત્ર બિહારમાં જ નહીં, દેશના ટોચના રાજકીય નેતાઓમાં થાય છે, જેપી આંદોલન સમયગાળા દરમિયાન તેઓ ભારતીય રાજકારણમાં ઉભરી આવ્યા હતા.
તેમના નિધન પર શ્રધ્ધાંજલિ અર્પી ને પીએમ મોદી એ પોતાના ટ્વિટમાં લખ્યું કે, 'રામવિલાસ જીએ સખત મહેનત અને નિશ્ચયથી રાજકારણમાં પગ મૂક્યો. યુવા નેતા તરીકે તેમણે કટોકટી દરમિયાન અત્યાચાર અને લોકશાહીના હુમલોનો સખત વિરોધ કર્યો હતો. તેઓ એક અપવાદરૂપ સંસદસભ્ય અને પ્રધાન હતા અને નીતિ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
પિયુષ ગોયલ ને સોંપાયો મંત્રાલયનો હવાલો
કેન્દ્ર સરકારના ઘણા પ્રધાનો, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ રામવિલાસ પાસવાનના મોત પર દુ:ખ વ્યક્ત કરતાં રામવિલાસ પાસવાન ને શ્રદ્ધાંજલિ આપી છે. હાલમાં દિવંગત પ્રધાન રામવિલાસ પાસવાન ના મંત્રાલયનો પ્રભાર પિયુષ ગોયલ ને સંપવામાં આવ્યો છે.