મનુષ્યના શરીરમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા મળી આવે છે, તેમાંથી કેટલાક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે તો કેટલાક શરીરને નુકસાન પણ પહોંચાડે છે, તેને બેડ બેક્ટેરિયા કહેવાય છે. આ વિશેષ પ્રકારના જીવાણુઓને લિક્ષત કરીને મારવા માટે વિજ્ઞાનીઓએ એક નવી રીત વિકસાવી છે.
વિજ્ઞાનીઓનો દાવો છે કે હવે બેડ બેક્ટેરિયાને વાઇરસની મદદથી મારી શકાય છે, સાથે-સાથે તેનાથી એન્ટિબાયોટિક પ્રતિરોધના વધતા ખતરાને દૂર કરવામાં પણ મદદ મળે છે. ઘણી વાર બીમારીથી બચવા માટે ખાવામાં આવતી દવાઓ અસર કરતી નથી. તેનું મુખ્ય કારણ એ હોય છે કે આપણા શરીરની અંદર મળી આવતા બેક્ટેરિયા એન્ટિબાયોટિક પ્રતિરોધી થઇ જાય છે.
વિજ્ઞાનીઓનો દાવો છે કે આ નવી રીતથી આવા બેકટેરિયાને મારીને બીમારીથી બચી શકાય છે.
બેક્ટેરિયા સંક્રમિત વાઇરસ જે બેક્ટેરિયોફેઝ નામે ઓળખાય છે, તેની કોશિકામાં મળી આવતા પ્રોટીનની મદદથી કંઇક હેરફેર કરીને ઇ-કોલી નામના બેક્ટેરિયાને મારી શકે છે. ઇ-કોલી એવા બેક્ટેરિયા છે, જે આંતરડામાં મળી આવે છે. તે શરીરને નુકસાન પહોંચાડે છે.
સંશોધકોએ જણાવ્યું કે એન્ટિબાયોટિક પ્રતિરોધ દુનિયામાં સૌથી મોટી સાર્વજનિક સ્વાસ્થ્ય ચિંતાઓમાંની એક છે, તેના પર દબાણ પણ સૌથી વધુ હોય છે. એન્ટિબાયોટિક પ્રતિરોધક બેક્ટેરિયા માટે ઇલાજ શોધવો એ સૈનિકો માટે મહત્ત્વનું સાબિત થશે, જે દુનિયાના કેટલાક ભાગમાં તહેનાત છે અને ત્યાં અજ્ઞાત બેક્ટેરિયા કે એન્ટિબાયોટિક પ્રતિરોધક બેક્ટેરિયાનો સામનો કરે છે.