એક તરફ, દિલ્હીની ભાગોળે જ્યાં ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈને મોદી સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે અને બીજી તરફ સરકારના પ્રતિનિધિઓ સતત ખેડૂતોને સમજાવવા મશગૂલ છે. ત્યારે ભાજપના એક નેતાએ તેમના નિવેદન દ્વારા આ આંદોલન પર જ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે.
MP ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયનું નિવેદન
ખેડૂત આંદોલનને લઈને આપ્યું નિવેદન
આ આંદોલનમાં માત્ર 10 ટકા ખેડૂતો જ સામલે થયા છે : વિજ્યવર્ગીય
ખેડૂતોના ઉગ્ર પ્રદર્શન તરીકે 8 ડિસેમ્બરે દેશભરમાં તેમના દ્વારા ભારત બંધનું એલાન પણ કરાયું હતું, જોકે વિધવિધ રાજ્યોમાં તેના મિશ્રિત પ્રત્યાઘાતો પડ્યા છે, આવી સ્થિતિમાં ભાજપ ના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય એ આ ખેડૂત આંદોલન પર સવાલ ઉઠાવી દીધો છે.
આમાં તો 90 ટકા ખેડૂત જ નથી : કૈલાશ વિજયવર્ગીય
MP ના ભાજપ નેતાએ દેશમાં કૃષિ આંદોલન અંગે જણાવ્યું હતું કે હાલમાં દેશમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેમાં મને લાગે છે કે 90 ટકા ખેડૂત નથી જણાતા, ફક્ત 10 ટકા ખેડૂતો જ આંદોલનમાં સામેલ છે. ઊલટાનું જે શક્તિઓ આ આંદોલનને સમર્થન આપી રહી છે તે આ દેશ માટે ચેતવણી સમાન છે. પ્રજાએ સમજી લેવું જોઈએ કે ખેડૂતો ના નામે રાજકારણ કોણ કરે છે!"
ખેડૂત આંદોલનને વિદેશી નેતાઓના સમર્થનની બાબત પર તેમણે સવાલો ઉઠાવ્યા કે "તેઓએ તેમને શા માટે ટેકો આપ્યો? બ્રિટનમાં ભારતીય દૂતાવાસ સામે ખેડૂત આંદોલન ને ટેકો આપ્યો હતો. આ લોકોએ કોણ છે તેની ઊંડાણ સુધી તપાસ થવી જોઈએ, ખેડૂતો ના નામ પર કોણ રાજનીતિ કરી રહ્યું છે તે સમજવું જોઈએ."
ખેડૂતોની આવક ડબલ કરનારું બિલ છે : ભાજપ નેતા
ભાજપ નેતા એ કહ્યું હતું કે આનાથી વધુ સારું બિલ હોઈ શકે નહીં. આ ખેડૂતો ની સમૃદ્ધિનું, ગામોની પ્રગતિનું બિલ છે, ત્યાં એક બિલ છે જે તેમની આવકને ડબલ કરે છે.
વધુમાં કોંગ્રેસ પર નિશાન સાધતાં તેમણે કહ્યુ કે બિલમાં સમાવિષ્ટ જોગવાઈઓને કોંગ્રેસ દ્વારા તેના ઢંઢેરામાં સામેલ કરવામાં આવી હતી, પરંતુ ખેડૂતો ને કોંગ્રેસનો વિશ્વાસ નહોતો અને જો મોદીએ તે તમામ જોગવાઈઓ લાગુ કરી તો કોંગ્રેસને લાગે છે કે તેનો હાથનું હથિયાર પણ છીનવી લેવામાં આવ્યું છે. ખેડૂતો એ બિલ અંગે વિચાર કરવો જોઇએ.