અમદાવાદના નાગરિકો ટ્રાફિકના નિયમનો ભંગ ન કરે તે હેતુથી સિગ્નલ પર કેમેરા લગાવ્યા છે.અને હવે આ કેમેરો સિગ્નલ પર જ ઓટોમેટિક ઈ-મેમો કાઢી આપશે
ટ્રાફિક નિયમનો ભંગ કર્યો થશે આવશે ઘરે દંડ
ઓટોમેટીક ઈ-મેમો કેમેરાથી મળશે ઘરે દંડ
40 જેટલા ઓટોમેટિક કેમેરા સિગ્નલ પર લગાવ્યા
અમદાવાદમાં દિવસેને દિવસે વાહનો વધી રહ્યા છે.અને ટ્રાફિકની સમસ્યા ગંભીર બની છે.લોકો ટ્રાફિકના નિયમનો ભંગ ન કરે તે હેતુથી સિગ્નલ પર કેમેરા લગાવ્યા છે.અને હવે સિગ્નલ પર જ ઓટોમેટિક ઈ-મેમો નિકળે તેવા કેમેરા પણ લગાવ્યા છે.
અમદાવાદ નહિ બચી શકે ત્રીજી આંખથી
અમદાવાદમાં વાહનોની સંખ્યાની સાથે ટ્રાફિકની સમસ્યા ખુબ વધી છે..અને લોકો આડેધડ રીતે ડ્રાઈવ કરતા નજરે પડે છે..તેના કારણે ટ્રાફીકની સમસ્યા વધી છે..અનેક લોકો એવા છે જે લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરતા નથી..ત્યારે હવે તેવા લોકોને ટ્રેપમાં લેવા પોલીસે નવી સિસ્ટમ મુકી છે...પોલીસ વાહનચાલકને પકડે છે ત્યારે વારંવાર ઘર્ષણ થતા હોવાનું સામે આવ્યું છે.. પરંતુ હવે આ પ્રકારના દ્રશ્યો જોવા નહીં મળે.અને હવે પોલીસ ઈ-મેમો જનરેટ નહિ કરે પરંતુ ઓટોમેટીક ઈ-મેમો જનરેટ થઈ જશે. આ આધુનિક કેમેરા જ નિયમ ભંગ કરનાર વાહનચાલકનો ઈ-મેમો કાઢશે.. જેથી નિયમનું પાલન કર્યું હોવાનું ખોટુ બોલીને વાહનચાલક બચી શકશે નહીં કારણે કે, હવે કેમેરો સિગ્નલ તોડનારને તો પકડશે જ પરંતુ પુરાવો પણ ઓટોમેટિક જનરેટ થશે. રેડ સિગ્નલમાં જો ફ્રન્ટ લાઈન ક્રોસ કરી તો આ ફોટોની સાથે સિગ્નલ બંધનો ફોટો પણ ઓટોમેટીક જનરેટ થઈ જાય છે.અમદાવાદના 40 જેટલા ટ્રાફિક જકંશન પર ઓટોમેટીક ઈ-મેમો કેમેરા લગાવવામાં આવ્યા છે. ઓટોમેટિક ઈ-મેમો બનવા લાગશે તેનાથી વાહનચાલકોની ફરિયાદ નહીં રહે સાથે લોકોના ટ્રાફિકના નિયમનને લઈ જાગૃતતા આવશે.
આવી ગયા છે ઈ-મેમો કેમેરા
પૂર્વ અને પ્રશ્ચિમ વિસ્તારમાં આ ઓટોમેટિક કેમેરા સિસ્ટમ લગાવવામાં આવી છે..આશ્રમ રોડ, સીજીરોડ, કાલુપુર, મણિનગર, નરોડામાં આ ઓટોમેટીક કેમેરા સિસ્ટમ લગાવી છે.આ વિસ્તારમાં ક્યા જંકશન પર સિસ્ટમ લગાવી છે તે કોઈને ખબર નથી તેને સંપૂર્ણ રીતે ખાનગી રાખવામાં આવ્યું છે.. જેથી વાહનચાલકને પોતાની બેદરકારીનો ખ્યાલ આવે અને શહેરના તમામ રસ્તાઓ પર તે એ જ ભયમાં નિયમનું પાલન કરે ટ્રાફિક પોલીસે 40 જેટલા જંકશનમા ઓટોમેટીક ઈ-મેમો જનરેટ કરી રહી છે જયારે 25 જેટલા ટ્રાફિક સિગ્નલ પર કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે.. અમદાવાદ શહેરમાં 130 જેટલા સિગ્નલ પર ઓટોમેટીક ઈ-મેમો કેમેરા સિસ્ટમ ગોઠવવામાં આવશે.. જેથી ભવિષ્યમાં વિદેશની જેમ અમદાવાદમાં પણ ટ્રાફિક પોલીસ સિગ્નલ પર નિયમનું પાલન કરાવતી નજરે નહી પડે અને લોકો જાતે જ નિયમોનું પાલન કરશે.
ચેતી જજો,સુધરી જજો
અમદાવાદમા 300 ટ્રાફિક સિગ્નલમા 30 સિગ્નલ મેન્યુઅલી એટલે કે ટ્રાફિક પોલીસ દ્વારા મેનેજ થાય છે..જયારે 20 સિગ્નલ બ્લિનકર મોડ એટલે કે લાલ, લીલી અને પીળી લાઈટવાળા સિગ્નલથી ચાલુ રહે છે...જયારે અન્ય સિગ્નલ ઓટોનેટીક કેમેરા સિસ્ટમથી મેનેજમેન્ટ કરશે.. જેથી હવે ટ્રાફિક પોલીસ અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણ તેમજ લાંચના આક્ષેપોનો અંત આવશે.આ કેમેરા લગાવવાથી પોલીસને પણ આશા છે કે, નાગરીકો ટ્રાફિકના નિયમ પાલનમાંચેતી જશે અને ઓટોમેટેડ સિસ્ટમના ડરથી તેઓ સુધરી પણ જશે.