Now the reason has been found that Dal spoiled the election game, the Minister of State smashed the shard of defeat in the last Panchayat election on Dal-Mitha.
દાળ ચોંટી /
હવે કારણ મળ્યું દાળે ચૂંટણીની બાજી બગાડી હતી, રાજ્યના મંત્રીએ ગત પંચાયત ચૂંટણીમાં હારનું ઠીકરું દાળ-મીઠા પર ફોડ્યું
વલસાડમાં તાલુકા પંચાયત ચૂંટણી મુદ્દે આદિજાતી વિકાસ મંત્રીએ કહ્યુ કે, 'દાળના મુદ્દાને કોંગ્રેસે ચગાવતા ભાજપને હાર મળી હતી. મતલબ દાળ બગડી તેમાં ચૂંટણી બગડી.
વલસાડમાં સરપંચ સન્માન સમારોહ
રાજ્યના આદિજાતિ મંત્રીનું નિવેદન
'દાળ-મીઠા એ ચૂંટણીમાં હરાવ્યા'
ગુજરાતીમાં એક કહેવત છે, 'જેની ચા બગડી તેની સવાર બગડી,પણ ડાળ બગડી તો દિવસ બગડ્યો'. આ કહેવત જુદા અર્થમાં સાબિત થી હોય તો એ રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલના નિવેદનમાં. વલસાડમાં સરપંચ સન્માન સમારોહ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ચૂંટણી મુદ્દે આદિજાતી વિકાસ મંત્રીએ કહ્યુ કે, 'દાળના મુદ્દાને કોંગ્રેસે ચગાવતા ભાજપને હાર મળી હતી. મતલબ દાળ બગડી તેમાં ચૂંટણી બગડી.
દાળ ચોંટી, ને ચૂંટણી હાર્યા હતા
વલસાડમાં સરપંચ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યના આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત હતા. સમારોહના ઉદ્બોધનમાં મંત્રી પટેલે ગત ચૂંટણીમાં મળેલી હારનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ગઈ તાલુકા પંચાયતની ચૂ્ંટણી દાળ એ હરાવી હતી. દાળના મુદ્દાને કોંગ્રેસે ચગાવતા ભાજપને હાર મળી હતી. દાળ, મીઠા જેવા મુદ્દા સંવેદનશીલ હોય અને ગમે ત્યારે હરાવી શકે છે. આ વખતે હવા ચાલી ગઈ એટલે તાલુકા પંચાયત જીતાઈ છે. આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલે કહ્યું કે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે આપણે હારી ગયેલા ત્યારે એ દાળનો મુદ્દો બનેલો વાત સાચી છે. કોંગ્રેસવાળાએ દાળનો મુદ્દો એવો બનાવી દીધો એ કે આપણે દાળમાં ને દાળમાં હારી ગયા બોલો. આ મીઠું હરાવી ગયેલું છે તમને ખબર નહીં પડે આ બધી વસ્તુ કેવી હોય છે.