આદ્રા નક્ષત્રમાં ભગવાન ભુવન ભાસ્કર એટલે કે ભગવાન સૂર્ય આજે પ્રવેશ કરશે. જ્યારે હવે વર્ષાઋતુ સ્પષ્ટ પણે જોવા મળશે. આ વર્ષે સિંહ લગ્ન પર આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થઇ રહ્યો છે.
આકાશ મંડળમાં આદ્રા નક્ષત્રનુ સ્થાન છઠ્ઠુ છે. તમને જણાવી દઇયે કે આ રાહૂ નક્ષત્ર છે જે મિથુન રાશિમાં આવે છે. આદ્રા નક્ષત્રના સ્વામી રાહૂને માનવા આવે છે અને તેની દશા 18 વર્ષની માનવામાં આવે છે.
મહત્વનુ છે કે મિથુન રાશિ પર આ દશા 5 મહિના અને 12 દિવસથી 18 વર્ષ સુધી હોય છે અને ચંદ્રની સ્થિતિ અનુસાર દશા જન્મના સમયે ભોગવવી પડે છે. ત્યારબાદ ગુરૂની દશા બેસે છે જે પૂરા 16 વર્ષ ચાલે છે. જન્મ નક્ષત્ર અનુસાર વ્યક્તિને તે નક્ષત્રના સ્વામીનો પ્રભાવ પોતાના જીવન પર દેખાય છે.
સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થયા બાદ વરસાદનો ક્રમ બદલાઇ શકે છે. એટલે ખેડૂતો વાવણી કરવા માટે આ નક્ષત્રની રાહ જાતા હોય છે. આ નક્ષત્રમાં મધ્યપ્રદેશ ગુજરાત અને કેરળ દેશના વિવિધ ભાગમાં વરસાદ થઇ શકે છે.