TRAI જલ્દી KYC બેસ્ડ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. જેનાથી કોલ કરનાર વ્યક્તિનો નામ ફોટો સાથે તમારા મોબાઈલ સ્ક્રીન પર જોવા મળશે.
હવે છેતરપિંડી કરનારની ખુલી જશે પોલ
સરકાર લાવી રહી છે નવો નિયમ
ઓનલાઈન ફ્રોડ કરનાર સામે સરકાર એક્શનમાં
સરકાર મોબાઈલ કોલિંગની દિશામાં એક નિયમ લાવવા જઈ રહી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ટૂંક સમયમાં KYC બેસ્ડ પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. જેના કારણે ફોન કરનાર વ્યક્તિનું નામ તમારા મોબાઈલ સ્ક્રીન પર ફોટો સાથે દેખાશે. જે મોબાઈલથી કોલ કરીને બેંક ફ્રોડ જેવી ઘટનાઓને રોકવામાં મદદ કરશે. કારણ કે આજકાલ મોબાઈલ કોલિંગ છેતરપિંડીનો નવો અડ્ડો બની રહ્યો છે.
મોબાઈલથી કોલ કરીને બેંક ફ્રોડ જેવા બનાવોને અંજામ આપવામાં આવી રહ્યો છે. નકલી મોબાઈલ નંબર હોવાને કારણે આવા લોકોની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે. એટલા માટે સરકાર દ્વારા મોબાઈલ કોલિંગમાં મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જેથી નકલી કોલ કરનારાઓને પકડી શકાય.
સરકાર અને ટ્રાય લાવી રહી છે નવી સિસ્ટમ
સરકાર અને ટ્રાય મળીને એક નવી સિસ્ટમ લાવવા જઈ રહી છે. જેમાં કોલ કરનારના મોબાઈલ નંબરની સાથે કોલરનો ફોટો પણ દેખાશે. આ માટે સરકાર મોબાઈલ નંબર KYC સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ માટે સરકાર બે પ્રકારની સિસ્ટમ લાગુ કરી શકે છે. પહેલું આધાર કાર્ડ આધારિત અને બીજું સિમ કાર્ડ આધારિત.
આધાર કાર્ડ આધારિત KYC
ટ્રાયની નવી સિસ્ટમમાં તમામ મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે. જેથી જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈને ફોન કરશે ત્યારે સામેની વ્યક્તિ પાસે માત્ર કોલ કરનારનો મોબાઈલ નંબર જ નહીં પરંતુ ફોન કરનાર વ્યક્તિનું નામ પણ દેખાશે જે આધાર કાર્ડમાં લખેલું હશે.
સિમ કાર્ડ બેસ્ડ
સિમ કાર્ડ ખરીદતી વખતે આપવામાં આવેલા દસ્તાવેજોના આધારે સરકાર કોલિંગ સાથે લોકોનો ફોટો અટેચ કરશે. આ રીતે નકલી લોકોને ઓળખી શકાય છે. મતલબ કે સિમ ખરીદતી વખતે જે ફોટો મૂકવામાં આવ્યો હશે તે જ કોલિંગ દરમિયાન મોબાઈલ સ્ક્રીન પર દેખાશે. જેના કારણે ઓનલાઈન છેતરપિંડી કરનારાઓને સરળતાથી ઓળખી શકાશે અને લોકો ઓનલાઈન છેતરપિંડીનો શિકાર થતા બચી શકશે.
કોલ કરનાર વ્યક્તિ નહીં છુપાવી શકે ઓળખાણ
જણાવી દઈએ કે આ નવી KYC આધારિત પ્રક્રિયા ટેલિકોમ વિભાગના માપદંડો અનુસાર હશે. KYC બેસ્ડ પ્રક્રિયા કોલર્સને તેમના KYC મુજબ ઓળખવામાં મદદ કરશે. આ પ્રક્રિયામાં ટેલિકોમ કંપનીઓએ KYCના નામે તમામ ગ્રાહકોનું સત્તાવાર નામ, સરનામું દાખલ કરવાનું રહેશે.
આ સિવાય મતદાર આઈડી કાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ અથવા વીજળી બિલની રસીદ દસ્તાવેજ તરીકે આપવાની રહેશે. જેના કારણે છેતરપિંડીની શક્યતા ઘણી ઓછી થઈ જશે. KYC આધારિત નવી પ્રક્રિયા લાગુ થયા પછી, કૉલર તેની ઓળખ છુપાવી શકશે નહીં.