ઉત્તરપ્રદેશમાં વિવિધ સ્થળોના નામ બદલવાનો સિલસિલો યથાવત છે. આ વચ્ચે યોગી સરકારે એક વધુ પગલું ઉઠાવતા એલાન કર્યું કે હવે અલાહાબાદનું નામ પ્રયાગરાજ થઈ જશે.
કુંભના મેળાના આયોજનને લઈને થયેલી બેઠકમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંગમ નગરી અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવાનું એલાન કર્યું છે.
તેઓએ કહ્યું કે સંતોએ અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ રાખવાની સલાહ આપી હતી. જેને પ્રદેશ સરકારે લીલી ઝંડી આપી છે અને રાજ્યપાલ રામ નાઈકે પણ આ પ્રસ્તાવ પર પોતાની સહમતિ દર્શાવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યપાલે પણ વિભિન્ન ઉદાહરણના માધ્યમથી પ્રયાગરાજના નામ પર સહમતિ દર્શાવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે મેળાના આયોજન પહેલા જ પ્રયાગરજ નામ રાખવામાં આવ્યું છે.
આ સાથેજ નજીકના ભવિષ્યમાં અલાહાબાદ જિલ્લાનું નામ પ્રયાગરાજ થશે. આ મામલાનું પ્રેઝન્ટેશન અધિકારીઓએ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભવ્ય અને દિવ્ય કુંભને સમગ્ર દુનિયા જોશે. જેના માટે 2446 કરોડ રૂપિયાની 643 પરિયોજનાને મંજૂરી આપી દેવામાં આવી છે.