Paper Leak News : ધોરણ 8ના તમામ પેપર ફુટવાની ઘટના સામે આવતા વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો, સંસ્થાએ પણ પેપર ફુટ્યાની વાત સ્વીકારી
ગુજરાતમાં વધુ એક પેપરલીકની ઘટના
આણંદની ખાનગી શાળામાં પેપર ફુટ્યુ
ધોરણ 8ના તમામ પેપર ફુટવાની ઘટના
ગુજરાતમાં વધુ એક પેપરલીકની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, આણંદની ખાનગી શાળામાં પેપર ફુટ્યુ છે. માહિતી મુજબ ધોરણ 8ના તમામ પેપર ફુટવાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. આ તરફ હવે વાલીઓના વિરોધ બાદ શાળા તંત્ર કામે લાગ્યુ છે. તો હવે સંસ્થાએ પણ પેપર ફુટ્યાની વાત સ્વીકારી છે.
આણંદના મોગરી ખાતે આવેલ જ્ઞાનયજ્ઞ વિદ્યાલય(બ્રહ્મજ્યોત) નામની ખાનગી શાળામાં પેપર ફુટ્યુ હોવાનું સામે આવ્યું છે. ધોરણ 8ના તમામ પેપર ફુટવાની ઘટના સામે આવતા વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ તરફ વાલીઓના વિરોધ બાદ હવે શાળા તંત્ર કામે લાગ્યુ છે. આ સાથે સંસ્થાએ પણ પેપર ફુટ્યાની વાત સ્વીકારી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
શું કહ્યું જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના વ્યવસ્થાપકે?
મોગરી ખાતે આવેલ જ્ઞાનયજ્ઞ વિદ્યાલય(બ્રહ્મજ્યોત) નામની ખાનગી શાળામાં પેપર ફુટ્યાની ઘટનાને લઈ ચકચાર મચી ગઈ છે. આ તરફ હવે જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના વ્યવસ્થાપક ઉર્જાબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે. વિગતો મુજબ જ્ઞાનયજ્ઞ વિદ્યાલયના વ્યવસ્થાપક ઉર્જાબેન પટેલે કહ્યું છે કે, પેપર ફૂટ્યું છે એ વાત સાચી છે. આ સાથે હવે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે તેવું તેમણે ઉમેર્યું હતું.
વાલીઓનો ગંભીર આક્ષેપ
આણંદની ખાનગી શાળામાં પેપર ફૂટવાની ઘટનાને લઈ વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ તરફ હવે વાલીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, નડીયાદના પ્રીન્સીપાલે આ પેપર લીક કર્યું છે. જોકે વાલીઓના ભારે વિરોધ બાદ શાળા તંત્ર કામે લાગ્યુ છે અને આ મઅ,લે તપાસ હાથ ધરી છે.
તો શું 6 વિષયના પેપર ફુટ્યા ?
આ તરફ હવે શિતલબેન નામના એક વાલીએ જણાવ્યું હતું કે, છોકરાઓએ ઘરે આવી ને કીધું કે, ફરી એક્ઝામ પણ આ લોકોની લેવાની છે. આ સાથે શિતલબેને કહ્યું કે, અત્યારે 6 વિષયના પેપર એટલે કે 6 મેઇન વિષય છે તેના ફૂટવાની વાત સામે આવી છે.