હરિયાણા સરકાર કોરોનાકાળનો ઈતિહાસ લખશે. તેના માટે એક ટીમ બનાવવામાં આવી છે.
હરિયાણા સરકાર લખશે કોરોનાકાળનો ઈતિહાસ
આ ટીમ હાલની પરિસ્થિતિઓ, પડકારો, અને સરકારની ભુમિકાનો ઉલ્લેખ કરશે
તેનો મુખ્ય ઉદ્દેશ આવનાર પેઢીને તેના આ પરિસ્થિતિ સાથે અવગત કરાવવાનો છે
કોરોનાકાળનો હવો હરિયાણામાં ઈતિહાસ લખવામાં આવશે જેથી 50 કે 100 વર્ષ બાદની આપણી પેઢીને આ મહામારી વિશે જાણકારી મળી શકે અને જો તેમની સામે આ પ્રકારની કોઈ આપદા અથવા મહામારી આવે તો તેમને તેના સામે લડવામાં મદદ મળી શકે. આ વાત હરિયાણાના ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે જણાવી છે.
તેમાં કઈ કઈ વસ્તુઓનો કરવામાં આવશે ઉલ્લેખ?
તેમણે જાણકારી આપતા જણાવ્યું કે કોરોના સાથે જોડાયેલો ઈતિહાસ લખવા માટે એક ટીમ બનાવવામાં આવી છે જેમાં એ ઉલ્લેખ કરવામાં આવશે કે કોરોનાના સમયે પરિસ્થિતિ કેવી હતી. તેનીથી નિપટવા માટે સરકારે કયા કયા પ્રયત્નો કર્યા હતા. મંત્રી અનિલ વિજે ખાસ કરીને આજના સમયનો ઉલ્લેખ કર્યો.
આવનાર પેઢી માટે રાખી મુકવામાં આવશે અનુભવ
તેમણે જણાવ્યું કે શરૂઆતમાં જ્યારે કોરોનાની પહેલી લહેર આવી હતી અમને આ વિશે કંઈ ખબર ન હતી. અહીં સુધી કે માસ્ક કઈ રીતે લગાવવાના છે અને ક્યાં મળશે, પીપીઈ કિટ ક્યાં મળશે, શું-શું સાવધાની રાખવી જોઈએ અને દવાઓ શું છે. તેના વિશે કંઈ જ ખબર ન હતી પરંતુ પછી પરિસ્થિતિ સામે લડવા માટેનો અંદાજો થવા લાગ્યો અને હવે તે અનુભવ આવનાર પેઢી માટે રાખી મુકવો જોઈએ.