દેહરાદૂન સ્થિત વાડિયા ઈન્સ્ટીય્યૂટ ઓફ હિમાલય જિયોલોજીના સીનિયર સાયન્ટિસ્ટે ચેતાવણી આપી છે કે હિમાલયમાં ગમે ત્યારે એક મોટો ભૂકંપ આવી શકે છે.
હિમાલયમાં ગમે ત્યારે આવી શકે છે મોટો ભૂકંપ
સીનિયર સાયન્ટિસ્ટે આપી ચેતાવણી
દર વર્ષે આટલી આગળ વધી રહી છે ભારતની પ્લેટ
ઉત્તરી અફગાનિસ્તાનમાં મંગળવારે રાત્રે 10.16 વાગ્યે આવેલા 6.6 તીવ્રતાના ભૂકંપ બાદ દિલ્હી-એનસીઆર ક્ષેત્ર સહિત ઉત્તરી ભારતમાં ભૂકંપના જોરદાર ઝટકા મહેસૂસ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર ભૂકંપના ઝટકા તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, ભારત, પાકિસ્તાન, તાઝિકિસ્તાન, ઉજ્બેકિસ્તાન, ચીન, અફગાનિસ્તાન અને કિર્ગિસ્તાનમાં અનુભવાયા હતા.
આવી શકે છે હિમાલયમાં મોટો ભૂકંપ
ભારતના ઘણા રાજ્યોમાં મોડી રાત્રે ભૂકંપના ઝટકા અનુભવવાના કારણે હડકંપ મચી ગયો હતો. દિલ્હી-એનસીઆરની સાથે સાથે પંજાબ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ ભૂકંપથી લોકોમાં ભય છે. કેમ આવી રહ્યા છે ભૂકંપના ઝટકા? શું મોટો ભૂકંપ આવવાનો છે? તેના પર વાડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ હિમાલય જિયોલોજીના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. અજય પોલે જણાવ્યું કે હિમાલયમાં ગમે ત્યારે મોટો ભૂકંપ આવી શકે છે.
શું કહે છે વૈજ્ઞાનિક?
ડૉ. પોલે જણાવ્યું કે અફગાનિસ્તાનમાં આવેલા ભૂકંપની ઉંડાઈ વધારે હતી. તમાટે તેની અસર ખૂબ મોટા વિસ્તારોમાં જોવા મળી. આપણે સિસ્મિક ઝોન 5માં છીએ કોઈ પણ ક્ષેત્રની ઓળખ નથી કરી શકતા. અવેયરનેસ અને સિવિલ એન્જિનિયરિંગથી જીવ બચાવી શકાય છે.
ભૂકંપથી પહેલા કોઈ પણ પ્રકારની ભવિષ્યવાણી કરવી મુશ્કેલ છે. જ્યારે ટેક્ટોનિક પ્લેટ્સથી એનર્જી રિલીઝ થાય છે. ત્યારે ભૂકંપ આવે છે. કાલે મારા ઘરની લાઈટ્સ અને પંખા પણ 45 સેકન્ડ સુધી હલતા રહ્યા.
ભારતના ચારે બાજુ હજારો ભૂકંપીય ફોલ્ટ્સ લાઈન
IIT Roorkeeના અર્થ સાઈન્સેઝ વિભાગના સાયન્ટિસ્ટ પ્રો. કમલે જણાવ્યું કે પાકિસ્તાનથી લઈને ભારતના ઉત્તર-પૂર્વના રાજ્યો સુધી હિમાલયના આખા બેલ્ટમાં ભૂકંપનું આવવું સામાન્ય ઘટના છે. આટલી વધારે માત્રામાં ભૂકંપનું આવવું તેનો મતલબ એ છે કે ટેક્ટોનિક પ્લેટ્સની અંદર રહેલું પ્રેશર રિલીઝ થઈ રહ્યું છે.
હાલમાં જ એક નવો નક્શો જાહેર થયો છે. જેમાં ભારતના ઉપર હિમાલયના વિસ્તારમાં હજારો ફોલ્ટ લાઈન્સ છે. આ ફોલ્ટ લાઈન્સમાં થતી હલ્કી હલચલ પણ ભારતીય પ્રાયદ્વીપને હલાવી દે છે.
ઈન્ડિયન-યુરેશિયન-તિબ્બતન પ્લેટમાં ચાલી રહી કુશ્તી
તમે તેને એવી રીતે સમજો જો હું તમને સતત ધક્કા આપું છું. પરંતુ તમારા પાછળ એક દીવાલ છે. તો તમને પાછળ જવા નહીં દે. મારા ધક્કો મારવાથી તમારા શરીરમાં ઉર્જા સ્ટોર થઈ રહી છે. જેને તમે એક દબાણની જેમ અનુભવશો. તમને દુખાવો થઈ રહ્યો છે. બેચેની પણ થઈ રહી છે.
આ બધુ રિએક્શન એક એનર્જી સ્ટોર થવાના કારણે થાય છે. આખરે તમે આ એનર્જીમાંથી છુટકારો મેળવવા માટે રિએક્ટ કરશો. મને સામે ધક્કો મારશો ગમે તે રીતે મારા સામેથી હટી જશો. બસ આજ સ્થિતિ છે ઈન્ડિયન, યુરેશિયન અને તિબ્બત ટેક્ટોનિક પ્લેટની વચ્ચે.
ભારતીય પ્લેટ દર વર્ષે 15-20 મીમી ચીનની તરફ ખસે છે
હકીકતે ઈન્ડિયન ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે 15થી 20 મિલિમીટર તિબ્બતન પ્લેટની તરફ વધી રહી છે. આટલા મોટા જમીનના ટુકડા કોઈ અન્ય મોટા ટુકડાને ધકેલશે, તો ક્યાંકને ક્યાંક તો ઉર્જા સ્ટોર થશે.
તિબ્બતની પ્લેટ ખરી નહીં શકે. માટે બન્ને પ્લેટોની વચ્ચે રહેલી ઉર્જા નિકળે છે. આ ઉર્જા નાના નાના ભૂકંપોના રૂપમાં નિકળે છે. તો તેનાથી ગભરાવવાની જરૂર નથી. જ્યારે ઝડપથી ઉર્જા નિકળે છે તો મોટો ભૂકંપ આવે છે.
ભારતમાં ભૂકંપના પાંચ ઝોન, ક્યા ભાગમાં વધારે ખતરો?
પાંચમાં ઝોનમાં દેશના કુલ ભૂખંડના 11 ટકા ભાગ આવે છે. ચોથા ઝોનમાં 18 ટકા અને ત્રીજા અને બીજા ઝોનમાં 30 ટકા. સૌથી વધારે ખતરો ઝોન 4 અને 5 વાળા વિસ્તારને છે. એક જ રાજ્યના અલગ અલગ વિસ્તાર ઘણા ઝોનમાં આવી શકે છે. સૌથી ખતરનાક ઝોન છે પાંચમો.
આ ઝોનમાં જમ્મુ અને કાશ્મીરનો ભાગ, હિમાલય પ્રદેશના પશ્ચિમી ભાગ, ઉત્તરાખંડનો પૂર્વી ભાગ, ગુજરાતમાં કચ્છનું રણ, ઉત્તરી બિહારનો ભાગ, ભારતના દરેક પૂર્વોત્તર રાજ્ય, અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પણ શામેલ છે.
ચોથા ઝોનમાં છે આ રાજ્યો
ચોથા ઝોનમાં જમ્મુ અને કાશ્મીરના બીજા ભાગ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના બાકી ભાગ, હરિયાણાના અમુક ભાગ, પંજાબના અમુક ભાગ, દિલ્હી, સિક્કિમ, ઉત્તર પ્રદેશના ઉત્તરી ભાગ, બિહાર અને પશ્ચિમ બંગાળના નાના ભાગ, ગુજરાત, પશ્ચિમી તટની પાસે મહારાષ્ટ્રના અમુક ભાગ અને પશ્ચિમી રાજસ્થાનના નાના ભાગ આ ઝોનમાં આવે છે.
ત્રીજા ઝોનમાં આ રાજ્યો
ત્રીજા ઝોનમાં આવે છે કેરળ, ગોવા, લક્ષ્યદ્વીપ સમૂહ, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના અમુક ભાગ, ગુજરાત અને પંજાબની વચ્ચેના ભાગ, પશ્ચિમ બંગાળના અમુક વિસ્તાર, પશ્ચિમી રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહારના અમુક વિસ્તાર, ઝારખંડના ઉત્તરી ભાગ અને છત્તીસગઢ. મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કર્ણાટકના અમુક વિસ્તાર.
ઝોન-2માં આવે છે આટલા રાજ્ય
રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુનો બચેલો ભાગ. પહેલા ઝોનમાં કોઈ ખતરો હોતો નથી.