પાસપોર્ટ બનાવવા માટે પોલીસ વેરિફિકેશન ખૂબ જ અઘરું કામ હોય છે. પરંતુ મુંબઈ પોલીસની આ પહેલને કારણે હવે આ કામ સરળ બનશે. જાણો કેવી રીતે
પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનનું કામ બનશે સરળ
મુંબઈ પોલીસની પહેલ
જાણો કેવી રીતે થશે કામ?
પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશનનું કામ બનશે સરળ
પાસપોર્ટ બનાવવા માટે પોલીસ વેરિફિકેશન ખૂબ જ અઘરું કામ હોય છે. આ વેરિફિકેશન વગર પાસપોર્ટ બની શકે નહી. પોલીસ તારફથી લીલી ઝંડી મળ્યા બાદ જ પાસપોર્ટ તૈયાર થાય છે. પરંતુ એવું ખૂબ જ ઓછું બને છે કે એકવારમાં જ કામ થઇ જાય. પોલીસ સ્ટેશનનાં ચક્કર લગાવ્યા વગર પાસપોર્ટ બનવો અઘરો છે. લોકો એમ પણ કહે છે કે લાગવગ વગર વેરિફિકેશન થતું નથી. આ કામમાં ભ્રષ્ટાચાર પણ જોવા મળે છે. લોકોને રાહત આપવા માટે મુંબઈ પોલીસે એક સારી પહેલ કરી છે. મુંબઈ પોલીસે આ વ્યવસ્થા શરુ કરી છે કે હવે લોકો વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન નહી જાય પરંતુ પોલીસ તમારા ઘરે આવશે.
મુંબઈ પોલીસ કમિશ્નર સંજય પાંડેય જણાવે છે કે હવે પાસપોર્ટ સાથે જોડાયેલ કામ માટે લોકોએ પોલીસ સ્ટેશન જવાની જરૂર નહી પડે. વેરિફિકેશન માટે પોલીસ લોકોને નહી બોલાવે જ્યાં સુધી કોઈ ફોર્મમાં ભૂલ કે ડોક્યુમેન્ટ જમા ન થયા હોય. આ વિષે સંજય પાંડેય એક ટ્વીટ કરતા લખે છે કે અમે નિર્ણય લીધો છે કે પાસપોર્ટ માટે કોઈપણ વ્યક્તિને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવશે નહી જો કોઈ ડોક્યુમેન્ટમાં ભૂલ નહી હોય તો.
#PassportVerification. We have decided no citizen will be called to police station in Mumbai except in exceptional cases of documents being incomplete etc. If not followed do report🙏
કેવી રીતે થશે કામ?
પોલીસ કમિશ્નર સંજય પાંડેય અનુસાર, આવેદકનાં ઘરે જનાર કોન્સ્ટેબલ જ પાસપોર્ટ વેરિફિકેશન સાથે જોડાયેલ તમામ કામ કરશે. આવેદકે કંઈ કરવાની જરૂર રહેશે નહી. વેરિફિકેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ તથા તેની જાણકારી કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશને લઈને ચાલ્યો જશે. જો તેમાં કોઈ ભૂલ મળશે તો આવેદકે પોલીસ સ્ટેશન જવું પડશે. મુંબઈ પોલીસની આ પહેલથી પાસપોર્ટ ક્લીયરન્સનું કામ સરળ અને ઝડપથી પતશે.
પોલીસ વેરિફિકેશન શા માટે?
પોલીસ વેરિફિકેશનમાં એ વાતની તપાસ કરવામાં આવે છે કે આવેદક વિરુદ્ધ કોઈ ચાર્જ તો નથી ને કે પછી કોઈ અપરાધિક કેસમાં તો ફસાયેલ નથી ને. અપરાધિક મામલો મળવા પર પોલીસ પાસપોર્ટ વેરિફિકેશન અટકાવી શકે છે.