કર્મચારી ભવિષ્ય નિધ સંગઠન (EPFO) એ પ્રોવિડન્ડ ફંડ (PF) ખાતાધારકો માટે નિયમમાં બદલાવ કર્યો છે. આ બદલાવ બાદ પીએફના પૈસા નિકાળવા અથવા ટ્રાન્સફર કરવા વધારે સરળ થઇ ગયા છે.
EPFOએ રોવિડન્ડ ફંડ (PF) ખાતાધારકો માટે નિયમમાં બદલાવ કર્યો છે
હવે ખાતાધારક જાતે બદલી શકશે 'Date of exit’
PFના પૈસા નિકાળવા અને ટ્રાન્સફર કરવા થશે સરળ
નવી સુવિધા હેઠળ EPFના પોર્ટલ પર 'Date of exit’નું નવું ફીચર જોડવાનામ આવ્યું છે. જેને લઇને હવે ખાતાધારક, કર્મચારી પોતાની નોકરી બદલવા પર એની જાણકારી પોર્ટલ પર જાતે જ અપડેટ કરી શકશે. એના માટે ગત એપ્લૉયર પર નિર્ભર રહેવાની જરૂર નથી. જો કે, પૈસા નિકાળવા અથવા ટ્રાન્સફર ક્લેમ માટે બે મહિના સુધી રાહ જોવી પડશે. અત્યાર સુધી નોકરી છોડ્યા બાદ ડેટ ઑફ એક્ઝિટને દાખલ કરાવવા માટે કર્મચારીને એમ્પલૉયર પર નિર્ભર રહેવું પડતું હતું.
શું ફાયદો થશે
બે મહિના બાદ જો કોઈ પણ ક્લેમ તમારે ભરવાનો છે તો તેના માટે અગાઉના એમ્પ્લોયરની તારીખ દાખલ કરાવવા માટે રાહ જોવી પડશે નહીં. નિયમ પ્રમાણે, નોકરી બદલ્યા બાદ જો તમારી ડેટ ઑફ એક્ઝિટ યોગ્ય રીતે માર્ક કરવામાં ન આવે તો તમારી નોકરીનો રેકોર્ડ ચાલું છે તેવું માનવામાં આવશે. EPFO તમને બેરોજગાર માનશે. ઉપરાંત આ દરમિયાન મળનાર વ્યાજ પર ટેક્સની ચૂકવણી કરવાની પણ માંગ કરી શકે છે.
કેવી રીતે અપડેટ કરી શકો છો Date of exit
સૌથી પહેલાં EPFOની રજિસ્ટર્ડ વેબસાઈટ www.epfindia.gov.in પર જવું
અહીં યુનિવર્સલ અકાઉન્ટ નંબર (UAN) અને પાસવર્ડ, કેપ્ચા કોડ દાખલ કરીને લોગ ઈન કરો
લોગ ઈન કરતા પહેલા એ ખાતરી કરી લેવી કે તમારું UAN એક્ટિવ થયેલ હોય.
પોર્ટલ ઓપન થવા પર આપવામાં આવેલ ટેબમાં મેસેજ સેક્શનમાં જવું અને ‘એગ્ઝિટ માર્ક’ પર ક્લિક કરો