કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ટેની માટે મોટી રાહત આવી છે અને તેમના હોમસ્ટેટ લખીમપુર ખીરીની તમામ આઠેય સીટો પર ભાજપે ફરી એક વાર કબ્જો કર્યો છે.
લખીમપુરની આટલી મોટી ઘટના છતાં રાહત
ભાજપ માટે અહીંથી પણ સારા સમાચાર
જિલ્લાની તમામ આઠેય સીટો પર જીત
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ટેની માટે મોટી રાહત આવી છે અને તેમના હોમસ્ટેટ લખીમપુર ખીરીની તમામ આઠેય સીટો પર ભાજપે ફરી એક વાર કબ્જો કર્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીના જિલ્લાની તમામ સીટો પર ભાજપની જીતથી તેમનું વર્ચસ્વ જ નહીં પણ તેમનું પદ પણ વધશે. જે બ્રાહ્મણ વોટરોને સાધવા માટે તેમને મંત્રીમંડળમાં જગ્યા મળી હતી, તે હવે પોતાના મિશનમાં ખુલ્લીને આગળ વધી શકશે.
લખીમપુર જિલ્લામાં ભાજપ બરાબરનું ફસાયું હતું
કેન્દ્રીય રાજ્યમંત્રી માટે રાહતની વાત એટલા માટે કહી શકાય કેમ કે, તેમના ગૃહ જિલ્લા લખીમપુર ખીરીમાં ખેડૂતો પર ગાડી ચડાવીને મારી નાખવાનો આરોપ તેમના દિકરા આશીષ મિશ્રાના જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જે ગાડી ખેડૂતો પર ચડી હતી, તે ગાડી કેન્દ્રીય મંત્રીની હતી. આ કારણે ફક્ત રાજ્યમાં જ નહીં પણ ભાજપમાં ભારે ભૂકંપની સ્થિતિ આવી ગઈ હતી. દબાણ ત્યાં સુધી આવી ગયું હતું કે, માગ થવા લાગી હતી કે, તેમને મંત્રીમંડળમાંથી હટાવી દેવામાં આવે.
સમગ્ર યુપીમાં પરિણામ બદલી શકતી હતી આ ઘટના
રાજકીય નિષ્ણાંત જીડી શુક્લા કહે છે કે, ખેડૂત આંદોલન દરમિયાન થયેલી લખીમપુર ખીરીની ઘટના એટલી પ્રભાવી હતી કે, રાજકીય સ્થિતિ પ્રમાણે જોઈએ તો, સમગ્ર રાજ્યમાં પરિણામ બદલવાની ક્ષમતા ધરાવતી હતી. પણ જે રીતે ભાજપે આ સમગ્ર મામલાને થાળે પાડ્યો અને સંગઠન જ નહીં પણ પોતાના રાજ્યમંત્રીને પણ બચાવી રાખ્યા, તેના જ પરિણામ સ્વરૂપ લખીમપુર ખીરીની તમામ સીટો ભાજપના ખાતામાં ગઈ. તેઓ કહે છે કે, આ મામલામાં ભાજપે કાયદાનું કામ કરવા દીધું અને મંત્રી સહિત પાર્ટીને પણ તેમનાથી દૂર રાખી.
શાંત રહીને મુદ્દાએ થાળે પાડી દીધો
રાજકીય નિષ્ણાંતો કહે છે કે, જે રણનીતિ અંતર્ગત ભાજપે આટલા મોટા મુદ્દાને શાંત રહીને નકામો કરી નાખ્યો, રાજકારણમાં આ બહું મોટી શિખ છે. શુક્લા જણાવે છે કે, અનુમાન તો એ જ હતું કે, લખીમપુર મુદ્દાથી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં પરિવર્તન આવશે, પણ પંજાબની રાજનીતિની દશા અને દિશા બદલાઈ ગઈ, કારણ કે, કોંગ્રેસ આ મુદ્દાને પહેલા જ દિવસથી સૌથી મોટો મુદ્દો બનાવી રાખ્યો હતો. પણ બીજી બાજૂથી કોઈ પ્રતિક્રિયા આવી જ નહીં. જેના કારણે આ મુદ્દો વધારે રાજકીય થઈ શક્યો નહીં. આ મામલો જિલ્લામાં ખૂબ જ પ્રભાવશાળી રહ્યો હતો. આ જ કારણ છે કે, જ્યારે ચૂંટણીના પરિણામ આવ્યા તો, તમામ આઠેય સીટો પર ભાજપ જીતી ગયું.