દેશનાં ખેડૂતો દિલ્હીની સીમાઓ પર છેલ્લા 2 મહિનાથી ધરણા પર બેઠા છે. નવા કૃષિ કાનૂનનો વિરોધમાં ચાલી રહેલા આંદોલનના પડઘા દિલ્હીની સીમાઓ પર નહીં વિદેશોમાં પણ પડી રહ્યાં છે.
ખેડૂત આંદોલનની ટ્વીટ પર બોલિવૂડ સહિત અન્ય કલાકારો રિહાના પર ભડક્યા
રિહાના સહિત બધા વિદેશીઓને પડકાર આપ્યો
પોપસ્ટાર રિહાનાનાં ટ્વીટ બાદ ઘણાં હોલિવૂડ સેલેબ્સની ટ્વીટ આવ્યા બાદ બોલિવૂડ તરફથી પ્રતિક્રિયાઓ આવવાની શરુ થઈ ગઈ હતી. બોલિવૂડમાં ઘણાં લોકોને આ વિદેશી સેલેબ્સ દ્વારા આ પ્રકારે ટ્વીટ કરવી પસંદ નથી આવી. ત્યારે હવે રામાનંદ સાગરની રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર એક્ટર સુનિલ લેહરીએ રિહાના સહિત બધા વિદેશીઓને પડકાર આપ્યોછે. તેમણે ભારતનાં ખેડૂત આંદોલન પર ઘણાં સવાલ ઉભા કર્યા છે.
અમારી પ્રોબ્લમ અમે સોલ્વ કરીશું
સુનિલ લેહરી સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. સુનિલ લેહરીએ રિહાના સહિત અન્ય વિદેશી સેલિબ્રિટીને આ મામલાથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે લખ્યુ છે કે, રિહાના અથવા કોઈ બીજા વિદેશીને અમારા દેશનાં ખેડૂત આંદોલનમાં દખલ આપવાનો કોઈ અધિકાર નથી. અમારી પ્રોબ્લમ સોલ્વ કરવા માટે અમે સક્ષમ છીએ.
રામે પણ નારાજગી વ્યક્ત કરી હતી
સુનિલ પહેલા રામાયણમાં રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલે પણ આ મામલે નારાજગી વ્યક્તિ કરતા લખ્યું હતું કે, ભારત કૃષિ પ્રધાન અને સર્વે ભવન્તુ સુખિનઃનાં આદર્શ પર ચાલતો શ્રીરામનો દેશ છે. અમારા દેશની સરકાર અને પ્રધાનમંત્રીને પોતાના ઘરેલુ વિવાદ સમજવા અને હલ કરવાની પૂરી સમજ છે. ખેડૂત આંદોલનનાં મુદ્દા પર રેહાના કે કોઈ પણ વિદેશી વ્યક્તિ કે દેશને આમાં હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નથી. ઉલ્લેખનીય છે કે, નવા કૃષિ કાયદાને લીધે ખેડૂત આંદોલનને આંતરરાષ્ટ્રીય સ્તર પર મિક્સ રિસ્પોન્સ મળી રહ્યો છે. રિહાના, મિયા ખલીફા અને ગ્રેટા થનબર્ગ જેવા લોકો દ્વારા ખેડૂત આંદોલનનાં પક્ષમાં ટ્વીટ કરી હતી.