એક તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવી છે, તો બીજી તરફ રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલય પર પણ બુલડોઝર પંહોચી ગયું છે.
કોંગ્રેસના નવા બનેલ હેડક્વાર્ટર પર પંહોચ્યું બુલડોઝર
અતિક્રમણ તરીકે ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી
PWD આમ આદમી પાર્ટીના વહીવટી કાર્યક્ષેત્ર હેઠળ આવે
દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવામાં આવી છે, તો બીજી તરફ રાજધાની દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલય પર પણ બુલડોઝર પંહોચી ગયું છે. જણાવી દઈએ કે દિલ્હીમાં દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર કોંગ્રેસના નિર્માણાધીન મુખ્યાલય પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. પીડબલ્યુડીએ અતિક્રમણ પર પોતાનું બુલડોઝર ચલાવ્યું છે. સાથે જ એવું જાણવા મળ્યું છે કે દિલ્હીનું જાહેર બાંધકામ વિભાગ આમ આદમી પાર્ટી (AAP) સરકારના વહીવટી કાર્યક્ષેત્ર હેઠળ આવે છે.
પહેલા માનહાનિના કેસમાં વાયનાડના લોકસભા સાંસદ રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ તેમની સંસદ સભ્યપદ છીનવી લેવાયા બાદ હવે PWDએ શુક્રવારે કોંગ્રેસના નવા બનેલ હેડક્વાર્ટરની બહાર બાંધેલી સીડીઓ અતિક્રમણ ગણાવતા તોડી નાખી છે. આ વિશે અધિકારીઓએ જણાવ્યું કે આ સીડીઓ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની મંજૂરી વગર ફૂટપાથ વિસ્તારમાં બનાવવામાં આવી હતી, તેથી તેને અતિક્રમણ તરીકે ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે.
Public Works Department today conducted an anti-encroachment drive at the under-construction new headquarter of the Congress party on DDU Marg in Delhi. pic.twitter.com/6qA4Q7rvpe
આગળ અધિકારીએ એ જણાવ્યું હતું કે ડીડીયુ રોડ પર થયેલા અતિક્રમણ અંગે ભૂતકાળમાં સર્વે કરવામાં આવ્યો હતો.તે દરમિયાન જાણવા મળ્યું હતું કે નવા બનેલા કોંગ્રેસ હેડક્વાર્ટરની બહાર ગેટ પર બનાવેલી સીડીઓ ફૂટપાથની જગ્યાએ છે તેથી આ કાર્યવાહી કરવામાં આવી છે. PWD દિલ્હી સરકારના વહીવટી નિયંત્રણ હેઠળ આવે છે, તે આ વર્ષે રાજધાનીમાં સૂચિત G-20 સમિટની તૈયારીના ભાગરૂપે ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા માટે શહેરમાં અતિક્રમણ વિરોધી અભિયાન ચલાવી રહ્યું છે.
જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની ઓફિસ પણ દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર આવેલી છે.પીડબલ્યુડીએ અગાઉ ડીડીયુ માર્ગ પર અતિક્રમણ વિરોધી ઝુંબેશ પણ શરૂ કરી છે, જેમાં AAP કાર્યાલયની બહાર એક અસ્થાયી રૂમને પણ તોડી પાડવામાં આવ્યો હતો.