નસીરુદ્દીન શાહે પયગંબર મોહમ્મદ પર નૂપુર શર્માના વિવાદિત નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. આ મુદ્દે વાત કરતાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી.
નૂપુર શર્માએ આપેલા વિવાદિત નિવેદનથી માહોલ ગરમાયું
વિવાદમાં બોલીવુડ સેલિબ્રીટી ઉતર્યા
નસીરુદ્દીન શાહે આ મુદ્દા પર પીએમને કરી અપીલ
વિવાદ બોલીવુડ સુધી પહોચ્યો
પયગંબર મુહમ્મદ પર નૂપુર શર્માએ આપેલા વિવાદિત નિવેદનથી દેશ સહિત દુનિયામાં માહોલ ગરમાયો છે. તમામ સેલિબ્રિટી આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી રહી છે. ફરહાન અખ્તર અને કંગના રનૌતે પણ આ મુદ્દે પોતાનો મત જણાવ્યો હતો. આ સાથે જ આ મુદ્દા પર હવે અભિનેતા નસીરુદ્દીન શાહે પોતાની પ્રતિક્રિયા આપી છે. આ મુદ્દે વાત કરતાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સલાહ આપી છે.
નસીરુદ્દીન શાહે શું કહ્યું?
પોતાનો પક્ષ રાખતા નસીરુદ્દીન શાહે પીએમ મોદીને આ ઝેર રોકવા માટે કહ્યું. પોતાના આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યુ, હું પીએમ મોદીને અપીલ કરવા માંગુ છુ કે તેઓ લોકોમાં કંઈક સારી સમજ આપે. જો તેઓનું માનવું છે કે હરિદ્વારની ધર્મ સંસદમાં જે કંઈ પણ કહેવામાં આવ્યું છે, જો એ વાતને સહમત છે તો એમણે તે કહેવું જોઈએ અને જો સહેમત નથી તો એને આ વાત જણાવવી જોઈએ.
નસીરુદ્દીન શાહે બીજું શું કહ્યું?
નસીરુદ્દીન શાહે વધુમાં કહ્યું કે, "પીએમ જે નફરત ફેલાવનારાઓને ટ્વિટર પર ફોલો કરે છે, તેમનણે આ વિશે કંઈક કરવું જોઈએ. આ ઝેરને વધતું રોકવા માટે જરૂરી પગલા લેવા જોઈએ. આ સાથે જ નસીરુદ્દીન શાહે નૂપુર શર્મા વિશે વાત કરતા કહ્યું કે, "સ્ત્રી કોઈ નાનું તત્વ નથી. તે એક રાષ્ટ્રીય સ્પીકર છે." તેમણે કહ્યું કે, તેમને એવું કોઈ ઉદાહરણ યાદ નથી કે કોઈ મુસ્લિમે હિન્દુ દેવતા પર આવું ભડકાવ ભાષણ આપ્યું હોય.