કોરોના કાળમાં હાલમાં દેશમાં પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે, બિહાર ની વિધાનસભાની સાથે જ અન્ય ઘણા રાજ્યોમાં પેટાચૂંટણીઓ પણ યોજાવા જઈ રહી છે, આજ શ્રેણીમાં બિહારમાં પ્રચાર અભિયાન પણ શરુ થઇ ગયું છે, પ્રધાનમંત્રી મોદી પોતે 23 ઓક્ટોબર થી ચૂંટણી અભિયાનના શ્રી ગણેશ કરવાના છે, ત્યારે કોરોના કાળમાં આ પ્રચાર રેલી અન્ય રેલીઓ કરતા કઈંક અંશે અલગ રહેવાની છે
પીએમ મોદી પોતે જ ઉતરશે હવે ચૂંટણીના જંગમાં
23 મી ઓક્ટોબરે ભાગલપુરમાં કરશે પ્રથમ રેલી
300 જગ્યાએ એકીસાથે થશે લાઈવ પ્રસારણ
બિહાર માં ચૂંટણીને લઈને હવે પ્રચારના બ્યુગલ વાગી ચૂક્યા છે, NDA અને મહાગઠબંધન સામસામી તલવાર લઈને ઉતરી પડ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી પોતે 23 મી ઓક્ટોબરે બિહાર ના ભાગલપુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવાના છે, જેને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
રેલી માટે બનાવાયો છે ખાસ પ્રોટોકોલ
આ રેલી માટે ખાસ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો જેમાં થર્મલ સ્ક્રિનિંગ અને માસ્કને ફરિજિયાત બનાવવામાં આવ્યા છે અને મંચ પર હાજર બધા લોકોના ફરજિયાત કોરોના ટેસ્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ અંગે મનાઈ રહ્યું છે કે VVIP એરિયામાં ગોઠવાયેલા બધા જ પોલીસ સ્ટાફ અને કર્મચારીઓ સહીત પીએમ મોદી સાથે મંચ હાજર લોકોનો બે વાર કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
રેલીમાં હાજર બધાનું થશે સ્ક્રીનિંગ
પીએમ મોદી ની આ રેલીમાં હાજર રહેલા તમામ લોકોના RT-PCR ટેસ્ટ કરવા અંગે આરોગ્ય વિભાગના પ્રધાન સચિવ પ્રત્યય અમૃતએ સિવિલ સર્જનને પત્ર લખીને ભલામણ કરી હતી. આ સિવાય પણ કોરોના ના લક્ષણોના આધારે સ્ક્રિનિંગ કરાશે, જેથી કોઈ કોરોના સંક્રમિત રેલીમાં ન આવી જાય.
આ સિવાય પણ રેલીમાં હજાર રહેવા વાળા તમામ લોકોના હાથને સેનેટાઈઝ કરાશે, જેમાં દરેક દ્વાર પર તેની વ્યવસ્થા થશે અને મજૂરોની પણ તપાસ કરવામાં આવશે
300 અલગ અલગ જગ્યાએ પ્રસારણ
આ રેલીનું બિહાર માં 300થી વધુ જગ્યાએ લાઈવ પ્રસારણ કરવાની યોજના હતી,જેમાં એક ખાસ પ્રકરની ટેકનીકના ઉપયોગ કરવાની યોજના હતી, જેના દ્વારા એકી સાથે 300 જગ્યાએ લોકો સાથે પીએમ મોદી કનેક્ટ કરી શકશે. આ એક રેલીમાં પીએમ મોદી એકીસાથે 24 વિધાનસભા ક્ષેત્રોના ઉમેદવારો માટે મત માંગશે.