કંપની 18 વર્ષથી ઓછી ઉંમરના કસ્ટમર્સને નવા સિમ નહીં વેચી શકે.
મોબાઈલ ગ્રાહકો માટે જરૂરી ખબર
18 વર્ષથી ઓછા કસ્ટમર્સને નહીં મળે સિમ
1 રૂપિયામાં થશે KYC
મોબાઈલ ગ્રાહકો માટે જરૂરી ખબર છે. સરકારે સિમ કાર્ડને લઈને નવા નિયમ બનાવ્યા છે. આ નિયમ હેઠળ હવે અમુક કસ્ટમર્સ માટે નવું મોબાઈલ કનેક્શન લેવું વધુ સરળ બની ગયું છે. પરંતુ અમુક કસ્ટમર્સ હવે નવું સિમ નહીં લઈ શકે. હવે કસ્ટમર્સને મોબાઈલ કનેક્શન માટે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે અને હવે સિમ કાર્ડ તેમના ઘર સુધી આવી જશે.
18 વર્ષથી ઓછા કસ્ટમર્સને નહીં મળે સિમ
હવે સરકારના નિયમ અનુસાર, કંપની 18 વર્ષથી ઓછી ઉંમરના કસ્ટમર્સને નવા સિમ નહીં વેચી શકે. ત્યાં જ બીજી તરફ 18 વર્ષથી ઉપરના કસ્ટમર્સ પોતાના નવા સિમ માટે આધાર અથવા ડિજિલોકરમાં સ્ટોર્ડ કોઈ પણ ડોક્યુમેન્ટથી પોતાને વેરિફાઈ કરી શકે છે. Department of Telecomએ આ માટે એક આદેશ જાહેર કર્યો છે. Department of Telecomનો આ નિર્ણય 15 સપ્ટેમ્બરે કેબિનેટ દ્વારા અપ્રૂવ્ડ ટેલીકોમ રિફોર્મ્સનો ભાગ છે.
1 રૂપિયામાં થશે KYC
જાહેર કરવામાં આવેલા નવા આદેશના નિયમો અનુસાર, યુઝર્સને નવા મોબાઈલ કનેક્શન માટે UIDAIની Aadhaar બેસ્ડ e-KYC સર્વિસના માધ્યમથી સર્ટિફિકેશન માટે બસ એક રૂપિયાની ચુકવણી કરવાની રહેશે.
આ યુઝર્સને નહીં મળે નવા સિમ
ટેલિકોમ ડિપાર્ટમેન્ટના એક નવા નિયમો અનુસાર હવે કંપની 18 લાખથી ઓછી ઉંમરના યુઝર્સને સિમ કાર્ડ નહીં વેચી શકે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ માનસિક રૂપથી બિમાર છે. તો આવા વ્યક્તિને પણ નવું સિમ કાર્ડ આપવામાં નહીં આવે. આ નિયમોનું ઉલ્લંઘન કરતા જો કોઈ વ્યક્તિને સિમ વેચવામાં આવે છે કો તે ટેલિકોમ કંપનીને દોષી માનવામાં આવશે, જેણે સિમ વેચ્યું છે.
સરકારે કાયદામાં કર્યું સંશોધન
સરકારે પ્રીપેડને પોસ્ટપેડમાં બદલવા માટે એક નવું વન ટાઈમ પાસવર્ડ બેસ્ડ પ્રોસેસના આદેશ જાહેર કર્યા છે. સરકારે નવા મોબાઈલ કનેક્શન જાહેર કરવા માટે આધાર આધારિત ઈ-કેવાઈસી પ્રક્રિયાને ફરી શરૂ કરવા માટે જુલાઈ 2019માં ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ 1885માં પહેલા જ સંશોધન કરી દીધુ હતું.