સમિતિએ રશિયા-યુક્રેન વચ્ચે સ્થાયી શાંતિ માટે મધ્યસ્થી માટે PM નરેન્દ્ર મોદી, પોપ ફ્રાન્સિસ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો
મધ્યસ્થી માટે PM નરેન્દ્ર મોદી, પોપ ફ્રાન્સિસ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવનો સમાવેશ કરવા પ્રસ્તાવ
ન્યુયોર્કમાં યુક્રેન પર યુએન સુરક્ષા પરિષદની ચર્ચામાં આ ઠરાવ મૂકવામાં આવ્યો
મેક્સિકોએ સંયુક્ત રાષ્ટ્રને રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે એક સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સમિતિએ રશિયા અને યુક્રેન વચ્ચે સ્થાયી શાંતિ માટે મધ્યસ્થી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પોપ ફ્રાન્સિસ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ન્યુયોર્કમાં યુક્રેન પર યુએન સુરક્ષા પરિષદની ચર્ચામાં આ ઠરાવ મૂકવામાં આવ્યો હતો.
આ પ્રસ્તાવ મેક્સિકોના વિદેશ મંત્રી માર્સેલો લુઈસ એબ્રાર્ડ કાસાબોન દ્વારા આગળ મૂકવામાં આવ્યો હતો. પીટીઆઈ અનુસાર ઉઝબેકિસ્તાનના સમરકંદમાં 22મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક દરમ્યાન પુતિન સાથે મુલાકાત કરનાર મોદીએ રશિયન નેતાને કહ્યું, "આજનો યુગ યુદ્ધનો નથી." ભારતીય વડાપ્રધાનની આ ટિપ્પણીનું યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમ સહિતના પશ્ચિમી દેશોએ સ્વાગત કર્યું હતું.
At UNSC, Mexico Foreign Minister Marcelo Ebrard points to proposal by Mexican President to establish a committee wch includes India's PM Modi, Pope to resolve the Russia Ukraine conflict pic.twitter.com/rZNnF41Ndf
કેસાબોને યુએન સમક્ષ પ્રસ્તાવ મૂક્યો કે, મેક્સિકો, તેના શાંતિવાદી વલણના આધારે માને છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયે હવે શાંતિ પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. આ સંદર્ભમાં હું તમારી સાથે યુક્રેનમાં સંવાદ અને શાંતિ માટે સમિતિની રચના દ્વારા યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના મધ્યસ્થી પ્રયાસોને મજબૂત કરવા મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડોરની દરખાસ્ત શેર કરવા માંગુ છું. જો શક્ય હોય તો તેમાં મહામહિમ નરેન્દ્ર મોદી અને પોપ ફ્રાન્સિસ સહિત અન્ય રાજ્ય અને સરકારના વડાઓની ભાગીદારી શામેલ હોવી જોઈએ.
આ સાથે કેસાબોને ઉમેર્યું હતું કે, સેક્રેટરી જનરલે કહ્યું છે તેમ શાંતિ માટે કામ કરવાનો અને શાંતિ માટે પ્રતિબદ્ધ બનવાનો આ સમય છે. મેક્સીકન વિદેશ મંત્રીએ દલીલ કરી હતી કે, શાંતિ માત્ર સંવાદ, મુત્સદ્દીગીરી અને અસરકારક રાજકીય ચેનલોના નિર્માણ દ્વારા જ હાંસલ કરી શકાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શાંતિ પ્રત્યે ગંભીરતાથી વિચારવાનો આ યોગ્ય સમય છે.