બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Now NRI Will get the Aadhar card immediately

ગુડ ન્યૂઝ / બિનનિવાસી ભારતીયોને તત્કાલ મળશે આધારકાર્ડ, PM મોદીના અમેરિકા જતાં પહેલાં થઈ જાહેરાત

Last Updated: 09:25 AM, 21 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય પાસપોર્ટ ધારક બિનનિવાસી ભારતીયો માટે હવે પોતાનું આધારકાર્ડ બનાવવા માટે 180 દિવસની રાહ જોવાની રહેશે નહીં. જો કે તેમને તરત જ આધાર કાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. શુક્રવારે પીએમ મોદીએ અમેરિકાના પ્રવાસે જતા પહેલાં આ વિશે કેન્દ્ર સરકારને જાહેરાત કરી હતી. જાણકારી અનુસાર કેન્દ્ર સરકારે બિનનિવાસી ભારતીયોને તત્કાલ આધારકાર્ડ મળી રહે તે માટેની સૂચના જાહેર કરી છે.

  • બિનનિવાસી ભારતીયોને હવે તરત જ મળશે આધારકાર્ડ
  • પીએમ મોદીએ અમેરિકા પ્રવાસે જતાં પહેલા કરી કેન્દ્ર સરકારને જાહેરાત
  • બિનનિવાસી ભારતીયોને તત્કાલ આધારકાર્ડ મળી રહે તેવી સૂચના જાહેર કરાઈ

કેન્દ્રીય મંત્રાલયની અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે આ નિયમ અધિસૂચના લાગૂ પડવાની તારીખ 20 સપ્ટેમ્બર આપવામાં આવી હતી. આ દિવસથી NRIને તત્કાલ આઘારકાર્ડ બનાવી આપવાનું શરૂ કરવામાં આવશે. જે બિનનિવાસી ભારતીયો પાસે ભારતીય પાસપોર્ટ હશે તેમને માટે આ સુવિધા લાગૂ પાડવામાં આવશે. જ્યારે તેઓ આધારકાર્ડ બનાવડાવવા જશે ત્યારે તેમની પાસે ભારતીય પાસપોર્ટની માંગણી કરવામાં આવશે. જો આ પાસપોર્ટ હશે તો કેન્દ્ર સરકારના આદેશ મુજબ તેમને તત્કાલ આધારકાર્ડ બનાવી આપવામાં આવશે.  

NRI આધાર એપ્લીકેશન માટે આ બાબતો રહેશે માન્ય

  • વ્યક્તિ 3 વર્ષથી ઉપરની હોવી જોઈએ.
  • વ્યક્તિએ ભારતીય રહેવાસી હોવા જોઈએ.
  • વિદેશીઓ પણ નોંધણી માટે પાત્ર છે.
  • એનઆરઆઈની સાથે દેશમાં વસતા વિદેશી લોકો આધારકાર્ડ માટે પાત્ર છે.
ફાઈલ ફોટો


આ 3 ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર
કોઈ પણ એનઆરઆઈ વ્યક્તિ ક્યાંય પણ આધારકાર્ડ બનાવડાવશે તો તેણે આ 3 ડોક્યૂમેન્ટ્સ રજૂ કરવા પડશે.

  • બર્થ સર્ટિફિકેટ
  • ફોટો આઈડી પ્રૂફ
  • સ્કૂલ સર્ટિફિકેટ

Read Also - આધારકાર્ડમાં સરનામું બદલવા માટે રહેઠાણનો માન્ય પુરાવો નહીં હોય તો પણ ચાલશે, જાણો સમગ્ર વિગત
જાણો પ્રોસેસ

  • અરજદારોએ તમામ 10 આંગળીઓના ફિંગરપ્રિન્ટ આપવાના રહેશે. પ્રિન્ટ્સ સરકારી ડેટાબેસમાં સંગ્રહિત થાય છે. આ આઈડી બનાવવાનું પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે.
  • સંપૂર્ણ આઈડી બનાવવા તરફનું બીજું પગલું છે. આ પ્રક્રિયા ફિંગરપ્રિન્ટ સ્કેનીંગ પછી જ આધાર કેન્દ્ર દ્વારા આગળ વધારવામાં આવે છે.
  • સરકારી અધિકારીઓ સંગ્રહિત ફોટોગ્રાફ્સ સ્વીકારતા નથી. તેઓ વેબકેમ દ્વારા અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો લેશે. પછી આ ફોટો કાર્ડ પર છાપવામાં આવે છે.
  • બાયોમેટ્રિક અને શારીરિક ડેટાને એકબીજા સાથે એકત્રિત કરવામાં અને તેને જોડવામાં આવે છે. આધાર કાર્ડ બનાવવા અને મોકલવામાં લગભગ 90 દિવસનો સમય લાગે છે. અરજદારો યુઆઈડીએઆઇ વેબસાઇટ પર પણ તેમના કાર્ડની સ્થિતિને શોધી શકે છે. આ કામ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા નોંધણી નંબર દ્વારા થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

America Visit NRI PM modi UIDAI aadhar card immediately process આધારકાર્ડ aadhar card
Bhushita
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ