ભારતીય પાસપોર્ટ ધારક બિનનિવાસી ભારતીયો માટે હવે પોતાનું આધારકાર્ડ બનાવવા માટે 180 દિવસની રાહ જોવાની રહેશે નહીં. જો કે તેમને તરત જ આધાર કાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. શુક્રવારે પીએમ મોદીએ અમેરિકાના પ્રવાસે જતા પહેલાં આ વિશે કેન્દ્ર સરકારને જાહેરાત કરી હતી. જાણકારી અનુસાર કેન્દ્ર સરકારે બિનનિવાસી ભારતીયોને તત્કાલ આધારકાર્ડ મળી રહે તે માટેની સૂચના જાહેર કરી છે.
બિનનિવાસી ભારતીયોને હવે તરત જ મળશે આધારકાર્ડ
પીએમ મોદીએ અમેરિકા પ્રવાસે જતાં પહેલા કરી કેન્દ્ર સરકારને જાહેરાત
બિનનિવાસી ભારતીયોને તત્કાલ આધારકાર્ડ મળી રહે તેવી સૂચના જાહેર કરાઈ
કેન્દ્રીય મંત્રાલયની અધિસૂચનામાં કહેવામાં આવ્યું છે કે આ નિયમ અધિસૂચના લાગૂ પડવાની તારીખ 20 સપ્ટેમ્બર આપવામાં આવી હતી. આ દિવસથી NRIને તત્કાલ આઘારકાર્ડ બનાવી આપવાનું શરૂ કરવામાં આવશે. જે બિનનિવાસી ભારતીયો પાસે ભારતીય પાસપોર્ટ હશે તેમને માટે આ સુવિધા લાગૂ પાડવામાં આવશે. જ્યારે તેઓ આધારકાર્ડ બનાવડાવવા જશે ત્યારે તેમની પાસે ભારતીય પાસપોર્ટની માંગણી કરવામાં આવશે. જો આ પાસપોર્ટ હશે તો કેન્દ્ર સરકારના આદેશ મુજબ તેમને તત્કાલ આધારકાર્ડ બનાવી આપવામાં આવશે.
NRI આધાર એપ્લીકેશન માટે આ બાબતો રહેશે માન્ય
વ્યક્તિ 3 વર્ષથી ઉપરની હોવી જોઈએ.
વ્યક્તિએ ભારતીય રહેવાસી હોવા જોઈએ.
વિદેશીઓ પણ નોંધણી માટે પાત્ર છે.
એનઆરઆઈની સાથે દેશમાં વસતા વિદેશી લોકો આધારકાર્ડ માટે પાત્ર છે.
આ 3 ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર
કોઈ પણ એનઆરઆઈ વ્યક્તિ ક્યાંય પણ આધારકાર્ડ બનાવડાવશે તો તેણે આ 3 ડોક્યૂમેન્ટ્સ રજૂ કરવા પડશે.
અરજદારોએ તમામ 10 આંગળીઓના ફિંગરપ્રિન્ટ આપવાના રહેશે. પ્રિન્ટ્સ સરકારી ડેટાબેસમાં સંગ્રહિત થાય છે. આ આઈડી બનાવવાનું પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ પગલું છે.
સંપૂર્ણ આઈડી બનાવવા તરફનું બીજું પગલું છે. આ પ્રક્રિયા ફિંગરપ્રિન્ટ સ્કેનીંગ પછી જ આધાર કેન્દ્ર દ્વારા આગળ વધારવામાં આવે છે.
સરકારી અધિકારીઓ સંગ્રહિત ફોટોગ્રાફ્સ સ્વીકારતા નથી. તેઓ વેબકેમ દ્વારા અરજદારનો પાસપોર્ટ સાઇઝ ફોટો લેશે. પછી આ ફોટો કાર્ડ પર છાપવામાં આવે છે.
બાયોમેટ્રિક અને શારીરિક ડેટાને એકબીજા સાથે એકત્રિત કરવામાં અને તેને જોડવામાં આવે છે. આધાર કાર્ડ બનાવવા અને મોકલવામાં લગભગ 90 દિવસનો સમય લાગે છે. અરજદારો યુઆઈડીએઆઇ વેબસાઇટ પર પણ તેમના કાર્ડની સ્થિતિને શોધી શકે છે. આ કામ કેન્દ્ર દ્વારા આપવામાં આવેલા નોંધણી નંબર દ્વારા થઈ શકે છે.