BJP અને PM મોદી વારંવાર કોંગ્રેસના રાષ્ટ્રવાદ અને કોંગ્રેસ નેતૃત્વની ભારતીયતા પર સવાલ ઉઠાવે છે. આથી હવે કોંગ્રેસે આનો તોડ નીકળી નવી યુક્તિ અજમાવવા જઈ રહી છે.
દેશની સૌથી જૂની પાર્ટીએ કેની વ્યૂહરચના બદલી
ઉદયપુરમાં કોંગ્રેસ પાર્ટીનો પ્રસ્તાવ હિન્દીમાં વાંચ્યો હતો
કોંગ્રેસ પાર્ટીએ સમિતિની રચના પછી તરત જ ટાસ્ક ફોર્સ સાથે યોજી બેઠક
દેશની સૌથી જૂની પાર્ટીએ કેની વ્યૂહરચના બદલી
દેશની સૌથી જૂની પાર્ટીઓમાંની એક કોંગ્રેસ આ દિવસોમાં પોતાને નવા રંગમાં રંગવાનો પ્રયાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, પાર્ટીના સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે કોંગ્રેસ તેના પ્રવક્તા, નેતાઓને ટીવી ચર્ચાઓ અને પ્રેસ કોન્ફરન્સ, ભાષણો દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નામનો ઉપયોગ કરવાની સલાહ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. મહત્વનું છે કે,પાર્ટી તેના નવા નામ સાથે આ સંદેશ આપવા માંગે છે કે કોંગ્રેસ એ જ ભારતીય પાર્ટી છે, જેણે દેશ માટે આઝાદીની લડાઈ લડી હતી.
ઉદયપુરમાં પાર્ટીનો પ્રસ્તાવ હિન્દીમાં વાંચ્યો હતો
આની પાછળ એવો ર્તક રજૂ કરવામાં આવી રહ્યો છે કે, ઘણીવાર BJP અને વડાપ્રધાન મોદી કોંગ્રેસના રાષ્ટ્રવાદ અને કોંગ્રેસ નેતૃત્વની ભારતીયતા પર સવાલ ઉઠાવતા રહે છે. તેથી, હવે પુનરોચ્ચાર કરવો જરૂરી છે કે કોંગ્રેસ પક્ષ ભારતીય છે, ભારતીયતામાં વિશ્વાસ રાષ્ટ્રવાદી છે અને કોંગ્રેસનું નેતૃત્વ પણ ભારતીય છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.એટલું જ નહીં, ભારત અને ભારતીયતામાં જોડાવા માટે, કોંગ્રેસ પાર્ટીએ ભૂતકાળમાં ઉદયપુરમાં પાર્ટીનો પ્રસ્તાવ હિન્દીમાં વાંચ્યો હતો અને તે હિન્દીમાં જ જાહેર કરવામાં આવ્યો હતો. પછીથી તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરવામાં આવ્યું.
First meeting of the Task Force - 2024!
We are resolved to ensure that the voice of India is amplified, the problems of India are solved, the progress of India is prioritised.#CongressNavSankalppic.twitter.com/pEAzHkD87Y
કોંગ્રેસ પાર્ટીએ સમિતિની રચના પછી તરત જ ટાસ્ક ફોર્સ સાથે યોજી બેઠક
કોંગ્રેસ પક્ષમાં આ પહેલીવાર બન્યું છે કે જ્યારે હિન્દીમાં ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા અને બાદમાં અંગ્રેજીમાં અનુવાદિત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી હંમેશા અંગ્રેજીમાં ઠરાવો પસાર કરવામાં આવતા હતા અને પછી તેનો હિન્દી અનુવાદ મીડિયાને ઉપલબ્ધ કરાવવામાં આવતો હતો. કોમ્યુનિકેશન વ્યૂહરચના બદલતા, કોંગ્રેસ પાર્ટીએ સમિતિની રચના પછી તરત જ 2024 માટે રચાયેલ ટાસ્ક ફોર્સની બેઠક યોજી હતી.
ઉદયપુરમાં સંકલ્પ શિબિરમાં ધરમૂળથી ફેરફાર કરવાનો ઠરાવ પસાર કર્યો
જેમાં કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીને ખાસ બોલાવવામાં આવ્યા હતા અને તસવીરો તાત્કાલિક મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવી હતી. જેથી સામાન્ય કાર્યકરોને કૉંગ્રેસની ગંભીરતાનો સંદેશ મળી શકે. ઉદયપુરમાં, પાર્ટીએ નવ સંકલ્પ શિબિરમાં સંચારમાં ધરમૂળથી ફેરફાર કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. રાહુલ ગાંધી પણ હંમેશા માને છે કે ભારતીય જનતા પાર્ટીની પ્રચાર પ્રણાલી કોંગ્રેસ કરતા ઘણી સારી છે અને ભાજપ જે રીતે પ્રચાર કરે છે તેમાંથી તેમણે શીખવાની જરૂર છે.