કેન્દ્રીય બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી જેમાં નાણાં પ્રધાને વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન ગોબરધન યોજના હેઠળ 500 નવા પ્લાન્ટ ખોલવાની પણ જાહેરાત કરી હતી.
કેન્દ્રીય બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી
બજેટમાં ગોબરધન યોજના હેઠળ થઈ મોટી જાહેરાત
ગોબર ધન યોજના શું છે ?
સંસદમાં આજે બજેટ 2023 રજૂ કરવામાં આવ્યું હતું અને નાણામંત્રી નિર્મલા સીતારમણ પોતાનું પાંચમું બજેટ રજૂ કર્યું હતું. કેન્દ્રીય બજેટ 2023માં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી હતી જેમાં નાણાં પ્રધાને વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે PM પ્રણામ યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ એમને ગોબરધન યોજના હેઠળ 500 નવા પ્લાન્ટ ખોલવાની પણ જાહેરાત કરી હતી.
બજેટમાં ગોબરધન યોજના હેઠળ થઈ મોટી જાહેરાત
બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું હતું કે' વૈકલ્પિક ખાતરોને પ્રોત્સાહન આપવા માટે પીએમ પ્રણામ યોજના શરૂ કરવામાં આવશે. બીજી તરફ ગોબર્ધન યોજના હેઠળ 500 નવા પ્લાન્ટ સ્થાપવામાં આવશે. ' નાણાંમંત્રીએ એમ પણ કહ્યું કે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય તકો માટે યુવાનોને કૌશલ્ય બનાવવા માટે 30 સ્કિલ ઈન્ડિયા રાષ્ટ્રીય ક્ષેત્રો પણ ખોલવામાં આવશે. આ સાથે જ નાણામંત્રીએ કહ્યું કે રોગચાળાથી પ્રભાવિત MSME ને રાહત આપવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે કરારના વિવાદોના સમાધાન માટે સ્વૈચ્છિક સમાધાન યોજના દાખલ કરવામાં આવશે.
Adhering to the vision of waste to wealth, Hon'ble Finance Minister, Smt @nsitharaman mentioned that "500 new ‘Waste to Wealth’ plants under the Gobar-Dhan scheme will be established for promoting a circular economy." pic.twitter.com/rqnFKKtqmU
ગોબર ધન યોજના શું છે ?
મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગોબરધન યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ સ્વચ્છતા પર સકારાત્મક અસર કરવાનો અને પશુઓ અને જૈવિક કચરામાંથી સંપત્તિ અને ઊર્જા ઉત્પન્ન કરવાનો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ આજીવિકા માટે નવી તકો ઊભી કરવાનો અને ખેડૂતો અને અન્ય ગ્રામીણ લોકો માટે આવક વધારવાનો છે. નાણામંત્રીએ કહ્યું કે ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં 35 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 20,700 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.