ટ્રેનોમાં હવે ભોજન વોટ્સએપ દ્વારા બુક કરાવવામાં આવી શકે છે. રેલવેની પીએસયુ આઈઆરસીટીસીએ આ નવી સુવિધા શરૂ કરી છે. તેના માટે તેમણે એક નંબર પણ જાહેર કર્યો છે.
ભારતીય રેલવેએ શરૂ કરી નવી સુવિધા
WhatsApp કૉલ પર મંગાવો તમારું મનપસંદ ભોજન
રેલવેએ તેના માટે જાહેર કર્યો નંબર
ટ્રેનમાં મુસાફરી વખતે મળતું ભોજન જો તમને પસંદ નથી આવતું અને તમે આ ભોજન નથી ખવા માંગતા તો તમારા માટે આ ખબર કામની છે. રેલવેએ તમારા માટે વધુ એક વિકલ્પ આપી દીધો છે. તમે વોટ્સએપ દ્વારા ભોજન ઓર્ડર કરી શકો છો. રેલવેની પીએસયુ આઈઆરસીટીસીએ આ નવી સુવિધા શરૂ કરી દીધી છે. તેના માટે તેમણે +91-8750001323 નંબર પણ જાહેર કર્યો છે.
ભોજન બુક કરવાની સુવિધા
ટ્રેનોમાં અત્યાર સુધી ઈ કેટરિંગ દ્વારા ભોજન બુક કરાવી શકાતુ હતું. તેમાં ફક્ત બુક કરાવવાની સુવિધા હતી. તે વન-વે જ થતું હતું એટલે કે તમને કોઈ વિકલ્પ ન હતો કે તમે કોઈ સુચન આપવા માંગો છો. તો તેની કોઈ વ્યવસ્થા ન હતી.
યાત્રીઓની આ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આઈઆરસીટીસીએ ચેટબોલ શરૂ કરી છે. જેના માધ્યમથી યાત્રી પોતાનું ભોજન બુક કરવી શકે છે. યાત્રીઓ દ્વારા આપવામાં આવેલા સુચનો અને ફિડબેકને બીજી ટ્રેનોમાં પણ લાગુ કરવામાં આવશે.
તમારી પસંદની રેસ્ટોરન્ટથી મંગાવી શકશો ભોજન
તેમાં તમે પોતાની પસંદગીની રેસ્ટોરન્ટમાંથી ભોજન મંગાવી શકો છો. એટલે કે તેમાં રેસ્ટોરન્ટનો વિકલ્પ પણ જોવા મળશે. હાલનો સમયમાં આઈઆરસીટીસી ઈ કેટરિંગ દ્વારા 50000 મીલ પ્રતિ દિવસ સપ્લાય કરી રહ્યું છે.